ભારતીય બેન્કો પાસેથી નવ હજાર કરોડ રૂપિયા લોન પેટે ઉધાર લઈને પછી એની ચુકવણી કર્યા વિના લંડન ભાગી જનારા ભાગેઢુ વિજય માલ્યા અંગે પણ સીબીઆઈ કડક હાથે તપાસ ચલાવી રહી છે. યુપીએ સરકારના કાર્યકાળમાં કિંગફિશર એલાઈન્સને કરવામાં આવેલી નાણાકીય સહાયના વિવિધ પાસાંઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. વિજય માલ્યા સાથે સંબંધિત આશરે એક લાખ ઈ-મેઈલ જપ્ત કરવામાં આવી છે. જે 2008થી 2013ના સમયગાળા દરમિયાન મોકલવામાં આવી હતી. આ ઈમેઈલમાં પીએમઓ, નાણાં મંત્ર્યાલય, નગર વિમાન મંત્ર્યાલય, પેટ્રોલિયમ મંત્ર્યાલયને કરવામાં આવેલી ઈ-મેઈલ પણ શામેલ છે. મોટાભાગની ઈ-મેઈલ વિજય માલ્યા અને તેમની કંપનીના સલાહકાર એ કે અડવાણી, હરીશ ભટ્ટ અને એ. રધુનાથ વચ્ચે કરાયેલી છે.
આ ઉપરાંત સીબીઆઈ તત્કાલીન સંયુક્ત સચિવ (બેન્કિંગ) અમિતાભ મનિશ્રી વિષે્ પણ તપાસ ચલાવી રહી છે.