ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએઃ મોહન ભાગવત

 

નવી દિલ્હીઃ ભારત વિકાસ પરિષદ દ્વારા ડો. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંતુલન માટે વિશ્વને ભારતની જરૂરિયાત છે અને એક પરિવાર બનાવવા માટે ભારત દરેક અન્ય દેશને માર્ગદર્શન આપી શકે છે.

સમગ્ર વિશ્વને એક તાંતણે જોડવા માટે ‘આત્મિયતા કા વિકાસ’ આ જ ભારત છે. મંત્ર દરેકે અપનાવવો આવશ્યક છે. તેઓએ મહાસત્તાઓને લઇને કહ્યું હતું કે, જે દેશો મહાસત્તા રહ્યા છે તેઓએ માત્રને માત્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવીને પોતાના જ અંગત હિતોને પૂરા કર્યા છે.

ભારત તે પ્રકારના દેશમાંથી નથી. ભારતના અસ્તિત્વ પાછળનું એક ચોક્કસ કારણ છે. અનેક હુમલાઓ છતાં અમે હિન્દુસ્તાન છીએ. વિશ્વમાં સંતુલન માટે અમારી આવશ્યકતા છે. અમે મહાશક્તિ નથી બની રહ્યા. મહાસત્તાઓ હતી. આપણે વિશ્વગુરુ બનવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, અનુકૂળતામાં અહંકારથી દૂર રહેવાની ચિંતા કરવી અનિવાર્ય છે. સુવિધા વધે છે અને કાર્ય માટે સુવિધા હોય છે. સુવિધાની ખરાબ આદત એ છે કે સુવિધા માણસને સુવિધાભોગી બનાવે છે. આપણા જેવા લોકો સમાજમાં ટ્રેન્ડ સેટર્સ હોય છે. સમાજનો નિયમ છે. જે મોટા લોકો છે, શ્રેષ્ઠ છે તે લોકો જેવું આચરણ કરે છે તેવું આચરણ અન્ય લોકો કરે છે. તે જેવું સ્ટાન્ડર્ડ બનાવે છે તેને લોકો ફોલો કરે છે. નિઃસ્વાર્થ ભાવે કરાયેલી સેવા જ સાચી સેવા છે. બીજા જ્યાં સુધી દુઃખી અને અભાવગ્રસ્ત છે ત્યાં સુધી આપણું જીવન અધુરું છે. આ ભાવથી યુક્ત થઇને કરવામાં આવેલી સેવા જ સાચી સેવા છે.

સેવા અંગે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, સેવામાં કોઇપણ પ્રકારના અહમનો ભાવ ના હોવો જોઇએ. આ ત્યારે સંભવ થાય જ્યારે આપણા જૂના સમય અને આપણને અહીંયા સુધી પહોંચાડનારા લોકોના ત્યાગ અને સમર્પણને આપણે યાદ રાખીએ.

ભારત વિકાસ પરિષદના ભારતના બનો, ભારતને માનો, ભારતને જાણો વાક્યનું અર્થઘટન કરતા તેઓએ કહ્યું કે, વિકાસ સર્વાંગી હોવો જોઇએ. વિશ્વ માટે વિકાસની વ્યાખ્યા ધન, શક્તિ અને સંસાધન છે. પરંતુ ભારતની વિકાસ અવધારણા અલગ છે. ભારતનું માનવું છે કે માત્ર મારો અને મારા પોતાના લોકોનો જ નહીં પરંતુ દરેકનો વિકાસ થવો જોઇએ. જો આપણે અન્યનું દર્દ ના સમજી શકીએ તો સાધન સંપન્ન, શિક્ષિત અને શક્તિ સંપન્ન હોવાનું શું ફાયદો. ભારતનું લક્ષ્ય વિશ્વગુરુ બનવાનું છે. આપણે અન્ય દેશો માટે એક દ્રષ્ટાંત બનીને આપણા જેવા બનાવવા માંગીએ છીએ. ડો. મોહન ભાગવતે ડો. સુરજ પ્રકાશના જીવનને પ્રેરક બતાવ્યું અને સાથે જ ભારત વિકાસ પરિષદને સમાજ સેવાના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત સંગઠનનો કરાર આપ્યો હતો.

ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્યામ શર્માએ સંગઠનની સ્થાપનાના ઉદ્દેશ્યો પર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, સંગઠનનો ઉદ્દેશ્ય ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ વિકાસમાં સામાજીક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય તેમજ આધ્યાત્મિક દરેક પ્રકારનો વિકાસ સમાવિષ્ટ છે. આ ઉદ્દેશ્ય સાથે પરિષદ સંપન્ન વર્ગોને સમાજના કાર્યો માટે પ્રેરિત કરીને સેવા, સંસ્કાર અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે કાર્ય કરે છે.

ગ્રંથ લોકો વાંચે તો મુંઝવણ અનુભવે છે. ઉપદેશ એક જ હોય છે અને તેનું અર્થઘટન અલગ અલગ થાય છે. ડો. સુરજ પ્રકાશજીએ વિચાર્યું કે આપણા પ્રબુદ્વજનોએ એક દિશા મળવાની સંભાવના છે. આ સંગઠન શરૂ કર્યું. ભારત વિકાસ પરિષદની સ્થાપના કરી. ડો. સુરજ પ્રકાશજીએ કહ્યું કે, અમારે કંઇક બનવું છે. ભારત વિકાસ પરિષદમાં ચર્ચા ચાલે છે કે ભારતના બનો, ભારતને માનો અને ભારતને જાણો. આપણે વિશ્વને આપણા જેવું બનવા માટે કહેવાની જરૂર નથી. વિશ્વભરના લોકોએ જાતે જ આ વસ્તુ શીખવી જોઇએ. ત્યારબાદ તેઓ પોતાના દેશમાં પરત ફરીને તેઓની સંસ્કૃતિ અને ધાર્મિક રીતિ રિવાજો પ્રમાણે માનવતાના પાઠ શીખવાડી શકે છે. ભાગવતે ઉમેર્યું હતું કે, ભારત વિશ્વને એક દૃષ્ટિકોણ આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘના તૃતીય સરસંઘચાલક બાલાસાહબ દેવરસની પ્રેરણાથી સ્વર્ગીય સુરજ પ્રકાશજીએ પોતાના મિત્રો તેમજ સહયોગીઓ સાથે ગહન વિચાર મંથન બાદ સમાજના સંપન્ન વર્ગના લોકોને દેશના ગરીબ, પછાત અને વંચિત લોકોની સેવા માટે પ્રેરિત કરતા વર્ષ ૧૯૬૩માં ભારત વિકાસ પરિષદની સ્થાપના કરી 

હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here