ભારતમાં ૭૩માં ગણતંત્ર દિવસની રંગેચંગે ઊજવણી 

 

નવી દિલ્હી: દેશમાં ૭૩માં ગણતંત્ર દિવસની રંગેચંગે ઊજવણી કરવામાં આવી. રાજપથ પર દેશના શૌર્ય અને સંસ્કૃતિનો મેગા શો રજૂ કરવામાં આવ્યો હતો. સેનાએ તેની તાકાત બતાવી અને વિવિધ રાજ્યોની ઝાંખીએ સાંસ્કૃતિક રંગનો ચિતાર આપ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તે દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, રક્ષા સચિવ અજય કુમાર અને સેનાની ત્રણેય પાંખ એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના ચીફ પીએમ સાથે હાજર રહ્યાં હતા. એ પછી તેમણે રાજપથ પર જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રગીતના ગાન અને ૨૧ તોપની સલામી પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના કાફલા અને રાષ્ટ્રપતિના અંગરક્ષકો સાથે ઘોડા પર સવાર થઈને રાજપથ પહોંચ્યાં હતા. રાષ્ટ્રપતિએ સલામી મંચ પર જમ્મુ અને કાશ્મીર પોલીસના ખ્લ્ત્ બાબુ રામને મરણોત્તર અશોક ચક્ર એનાયત કર્યો હતો. તેમની પત્ની રીટા રાનીને શાંતિના સમયમાં સૌથી મોટો વીરતા મેડલ મળ્યો હતો.

રાજપથ પર લગભગ ૯૦ મિનિટ સુધી આ પરેડ ચાલી હતી. એમાં આર્મીએ મહિલાઓની પ્રગતિ અંગેનો એક ચિતાર આપ્યો હતો. આર્મી, એરફોર્સ અને નેવીની બટાલિયનોનાં મહિલા અધિકારીઓએ તિરંગાને સલામી આપી હતી. લેટનન્ટ મનીષા બોહરાએ ઓલ મેલ કોન્ટિજેન્ટનું નેતૃત્વ કર્યું હતું. 

આ પહેલાં તેણે સેના દિવસના પ્રસંગે પણ નેતૃત્વ કર્યું હતું. તે ઓલ મેલ આર્મી ઓર્ડિનન્સ રેજીમેન્ટને લીડ કરનારી પ્રથમ મહિલા છે.

આ વખતે ગણતંત્ર દિવસ પર કોઈ પરંપરાના કાર્યક્રમનો હિસ્સો નહોતી. પરેડ અડધો કલાક મોડી શ‚ થઈ હતી. સતત બીજી વખત કોઈ વિદેશી મહેમાન આવ્યા નથી. ફુલ્લી વેક્સિનેટેડ લોકો જ પરેડમાં સામેલ થયા હતા. આર્મીની બટાલિયનો ૫૦, ૬૦ અને ૭૦ના દાયકાના યુનિફોર્મમાં પરેડ કરતી જોવા મળી હતી.

પરેડમાં ૭૫ એરક્રાફટનું મેગા લાય-પાસ્ટ કરવામાં આવ્યું. આ દરમિયાન કોકપિટમાં બેઠેલા પાયલોટ્સે તેનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું. રાજપથની ઉપર રાફેલ વિમાને ઉડાન ભરી અને ધ્રુવ હેલિકોપ્ટર્સે આકાશમાં તિરંગો ફરકાવ્યો. પાંચ રાફેલ ફાઈટર જેટ્સે વિનાશ ફોર્મેશનમાં ઉડાન ભરી. ૭૫ એરક્રાટસે પ્રથમ વખત મેગા લાય-પાસ્ટ કર્યું છે. આ લાય-પાસ્ટ આઝાદીના અમૃત મહોત્સવના પ્રતીક તરીકે કરવામાં આવ્યું છે.

નેશનલ વોર મેમોરિયલમાં જવાનોને સલામી આપવા ગયેલા વડાપ્રધાન મોદીએ આજે કુર્તો-પાયજામો પહેર્યો હતો. ગળામાં મણિપુરનો ગમછો અને માથા પર કાળા રંગની ઉત્તરાખંડી ટોપી પહેરી હતી. આ ટોપીની ખાસિયત એ હતી કે એના પર બ્રહ્મકમલ હતું, જેને ખાસ સ્વર્ગસ્થ ઘ્ઝ઼લ્ બિપિન રાવત પહેરતા હતા. ગણતંત્ર દિવસે વડાપ્રધાન મોદી દ્વારા આ ટોપી પહેરવી એ તેમના તરફથી જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હોવાનું માનવામાં આવે છે. તેમના આ અંદાજને ચૂંટણીનો રંગ પણ માનવામાં આવે છે. 

નોંધનીય છે કે ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી આવી રહી છે. આ બંને રાજ્યના સંકેત તરીકે માનવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here