અમદાવાદઃ ભારતમાં વધતી વસ્તી સહિત અનેક મુદ્દાઅોને લીધે ટોઇલેટની સમસ્યા વિકટ બની છે. જેને કારણે ગ્રામ્ય સહિત શહેરોમાં ખુલ્લામાં કુદરતી હાજતે જવું લોકો માટે જબરજસ્તીનું કારણ બની ગયું છે.
આ બાબતની વર્તમાન સ્થિતિ અને સરકાર દ્વારા લેવાયેલા નક્કર પગલાની વિસ્તૃત જાણકારી ગુજરાત કેડરનાં ત્ખ્લ્ જયંતિ રવિઍ તેમના પુસ્તક ‘સ્વચ્છતામાં શાણપણની – જાજરૂની ઝુંબેશ’માં વર્ણવી છે.
છેલ્લા થોડાં વર્ષોમાં ભારતમાં ટોઈલેટની સમસ્યામાં ઘણો બદલાવ આવ્યો છે. સરકારની સ્વચ્છતા ઝુંબેશ અન્વયે જાહેર શૌચાલયો અને ઘર–ઘર જાજરૂનાં નિર્માણ થયાં છે. લોકોઍ કુદરતી હાજતની પરિસ્થિતિ જે વિકટ હતી, તેમાં રાહત મેળવી છે. આવા અનેક પાસાઅોને આવરી લેતું પુસ્તક જયંતિ રવિઍ અંગ્રેજીમાં લખ્યું છે. જેની ગુજરાતી આવૃત્તિ નવભારત પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી હતી.
અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકનાં વિમોચનમાં પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ, અશોક ચેટરજી (પૂર્વ ડાયરેક્ટર ફત્ઝ઼) , ડો. શરદ ઠાકર, દિલીપ માવળંકર, કાજલ અોઝા વૈદ્ય, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, સુદર્શન આયંગર અને ઈન્દિરા નિત્યાનંદમની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે દિલીપ માવળંકરે ઍક સુંદર પ્રસ્તાવ મુકતા કહ્નાં કે વર્ષો પહેલાં અમદાવાદમાં ત્લ્ય્બ્નાં કંપાઉન્ડ વોલની બાજુમાં ગટર સફાઈ માટે ઉતરેલા કેટલાંક મજૂરોનાં મોત થયાં હતા. આ સંજાગને ડો. માવળંકરે કહ્નાં કે આપણે ઍક બાજુ આપણે સ્પેસમાં જવાની વાતો કરીઍ છીઍ અને ઍ જ સ્થળની બાજુમાં ગટર સફાઈ કામદારને ગુંગળાવું પડે છે. ભારતમાં ત્લ્ય્બ્ (ઈન્ડિયન સેનીટેશન રીસર્ચ અોર્ગેનાઈઝેશન) પણ હોવું જાઇઍ. આ કાર્યક્રમનું સુંદર સંચાલન હરદ્વાર ગોસ્વામીઍ કર્યુ હતું.