ભારતના સુરક્ષા મંત્રાલયે નૌસેના માટે સબમરીનોનું નિર્માણ કરવા માટે બે ભારતીય અને પાંચ વિદેશી કંપનીઓની પસંદગી કરી…

0
1203

દેશના  સંરક્ષણ  વિભાગની એક પાંખ આપણું નૌકાદળનો કાફલો  છે..જેને નૌસેના પણ કહેવામાં આવે છે.આપણું  સુરક્ષા મંત્રાલય અને નૌકાદળ ભારત માટે 6 પારંપરિક સબમરીનોનું નિર્માણ હાથ ધરવાનું છે. આશરે 51 હજાર કરોડ રૂપિયાની આ પરિયોજના માટે  બે ભારતીય અને પાંચ વિદેશી કંપનીઓની પસંદગી કરવામાં આવી હતી. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ ના નેતૃત્વ હેઠળ રક્ષા અધિગ્રહણ પરિષદએ મઝગાંવ ડોકશિપ બિલ્ડર્સ લિ. અને લાર્સન એન્ડ ટુબ્રો ને ભારતીય રણનીતિક ભાગીદારો તરીકે 45, 000 કરોડરૂપિયાની ચ પારંપારિક સૂમરીનોના નિર્માણ માટે પસંદ કર્યા હતા. ઉપરોકત નિર્ણયથી અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો  હતો. કારણ કે અદાણી ગ્રુપ આ કોન્ટ્રાકટ મેળવવા માટે મજબૂત દાવેદાર ગણાતિું હતું. જોકે પસંદગીના પહેલા તબક્કામાં ્દાણી ગ્રુપની પસંદગી કરવામાં આવી નહોતી.પણ મંત્રાલય દ્વારા આગ્રુપને સામેલ કરવાનું દબાણ હતું. પી- 75 નામની આ સબમરીન નિર્માણ માટેની પરિયોજનામાટે મજબૂત દાવેદાર ગણાતું અદાણી ગ્રુપ સંરક્ષણ વિભાગે નક્કી કરેલા યોગ્યતાના માપદંડોના મૂલ્યાંકનમાં અયોગ્ય સાબિત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here