ભાજપ જ કાયમ સત્તા પર રહેશે અને કોંગ્રેસ ભૂંસાઈ જશે તેમ કહેવું જ ખોટું છેઃ રાહુલ ગાંધી

 

લંડનઃ ભાજપ માને છે કે તે અનંતકાળ સુધી સત્તા ઉપર રહેશે અને કોંગ્રેસ ભૂંસાઈ જશે તેમ માનવું જ મૂળભૂત રીતે ખોટું છે. પોતાની બ્રિટન યાત્રાના છેલ્લા દિવસે અહીંના યેધમ-હાઉસ હાઉસમાં શ્રોતાજનો સમક્ષ આપેલી ઍક મુલાકાતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીઍ તેવો પણ દાવો કર્યો હતો કે તેઓના ફોનમાં ઇઝરાયલ સોફટવેર પેગાસસ દાખલ કરી દેવાયું હતું. આ સાથે તેઓઍ ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો કે તે વિરોધને દબાવી દેવા માગે છે. ભાજપ સત્તા પર આવ્યો પરંતુ તે સાથે તે માનવા લાગ્યો કે તે અનંતકાળ સુધી સત્તા પર રહેશે. પરંતુ તેમ બનવાનું નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here