બ્રિટને દિવાળીના તહેવાર નિમિત્તે મહાત્મા ગાંધી અને કમળના ફૂલવાળો સિક્કો જારી કર્યો

 

નવી દિલ્હીઃ હવે પહેલીવાર ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પ્રથમ વખત બ્રિટિશ દ્વારા જારી કરાયેલા સિક્કા દ્વારા યાદ કરવામાં આવશે. યુકેના ટ્રેઝરી ચીફ ઋષિ સુનકે ગુરુવારે આ અંગે વિધિવત જાહેરાત કરી હતી. આ નવા ગોળ સિક્કા પર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું ચિત્ર છપાયેલું છે. તેમાં એક પ્રેરણાત્મક સંદેશ મારું જીવન જ મારો સંદેશ પણ છે.

આ પાંચ પાઉન્ડનો સિક્કો સોના અને ચાંદીમાં બનાવવામાં આવશે અને તેને લીગલ ટેન્ડરનો દરજ્જો પણ મળશે. જો કે, તેને સામાન્ય વ્યવહારમાં લાવવામાં આવશે નહીં. દિવાળીના આ ખાસ અવસર પર ગુરુવારથી તેનું વેચાણ શરૂ થશે. દિવાળીના આ ખાસ અવસર પર અંગ્રેજોએ આ સિક્કાની જાહેરાત કરી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય સ્વતંત્રતા માટેના અહિંસક વિરોધ માટે જાણીતા મહાત્મા ગાંધીને યુકેના સત્તાવાર સિક્કા પર યાદ કરવામાં આવશે. 

આ અંગે માહિતી આપતા યુકે ટ્રેઝરી ચીફ ઋષિ સુનકે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, એક હિંદુ તરીકે, મને દિવાળી દરમિયાન આ સિક્કાનું અનાવરણ કરવામાં ગર્વ છે. મહાત્મા ગાંધીએ ભારતની આઝાદીની ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેમના અદ્ભુત જીવનની યાદમાં પ્રથમ વખત યુકેનો સિક્કો રાખવો મહત્ત્વપૂર્ણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here