2000થી શરૂ થયેલો અને આમ જનતામાં અતિ લોકપ્રિયતા હાંસલ કરનારો અમિતાભ બચ્ચન સંચાલિત શો – કૌન બનેગા કરોડપતિ -આગામી 3 સપ્ટેમ્બરથી પુનઃ એની 10મી સિઝન સાથે શરૂ થઈ રહ્યો છે. તાજેતરમાં એના પ્રમોશન સમયે પત્રકારો સાથે વાત કરતાં અમિતજીએ રણવીર સિંહ, રણબીર કપુર, રાજકુમાર રાવ, આલિયા ભટ્ટ , અનુષ્કા શર્મા વગેરે કલાકારોની અભિનય- પ્રતિભાના વખાણ કર્યા હતા. તેમની સાથે પોતાને કામ કરવાની તક મળી છે એ માટે તેમણે પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. એક ઉત્કૃષ્ટ કલાકાર અને ઉમદા સ્વભાવની વ્યકિતની મહાનતા, નમ્રતા અને શાલીનતાનું જીવંત ઉદાહરણ છે મહાનાયક અમિતજી !