ક્રિકેટની દુનિયાના લોકપ્રિય કેપ્ટન રહી ચૂકેલા અને પોતાના શાલીન તેમજ સૌજન્યપૂર્ણ વ્યવહાર માટે જાણીતા ખેલાડી સૌરવ ગાંગુલીની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થઈ હોવાના પ્રસંગે ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે તેમને શુભકામના પાઠવી હતી. સહેવાદે જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ માટે હવે સારા દિવસો આવશે એવા સંકેત મળી રહ્યા છે.