ફ્રાન્સમાં ઇસ્લામિક કટ્ટરવાદ ને રોકવા માટે બિલ રજૂ, હવે મસ્જિદોમાં નહી થઈ શકે અભ્યાસ

 

પેરિસઃ ઇસ્લામિક કટ્ટરવાદ પર લગામ લગાવવા માટે ફ્રાન્સે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ઇમેન્યુઅલ મેક્રોન સરકાર બુધવારના એક નવું બિલ લઇને આવી છે, જેના અંતર્ગત ત્રણ વર્ષની ઉંમરથી જ બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે. સરકારનો પ્રયત્ન એવી ગેરકાયદેસર શાળાઓ પર પ્રતિબંધ લગાવવાનો છે, જ્યાં કોઈ ખાસ એજન્ડા પર અભ્યાસ કરવામાં આવે છે. ફ્રાન્સમાં રહેતા તમામ ધર્મોના લોકો માટે ત્રણ વર્ષના બાળકોને સ્કૂલ મોકલવા ફરજિયાત રહેશે. બાળકોને હોમ-સ્કૂલિંગની મંજૂરી માત્ર ખાસ પરિસ્થિતિઓમાં જ આપવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું કહેવું છે કે આ બિલ રાષ્ટ્રને નબળા બનાવી રહ્યા છે તેવા અલગાવવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે અસરકારક રહેશે અને બાળકોને શરૂઆતથી જ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે પેરિસની ઘટના બાદથી મેક્રોન ઇસ્લામિક આતંકવાદ સામે કડક પગલા લઈ રહ્યા છે. જેના કારણે તુર્કી અને પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશોએ તેમની સામે મોરચો ખોલ્યો છે.

સૂચિત કાયદો Supporting Republican Principles દ્વારા બાળકોને ઘરે અથવા મસ્જિદોમાં અભ્યાસ કરતા અટકાવશે. રાષ્ટ્રપતિનું માનવું છે કે આ ફ્રાન્સના મૂલ્યો સામેની વિચારધારાને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોને સમાપ્ત કરવામાં મદદ કરશે. આ બિલમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ સ્વિમિંગ પુલો નાબૂદ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદોને પૂજા સ્થાનો તરીકે નોંધવામાં આવશે જેથી તેઓની વધુ સારી ઓળખ થઈ શકે. આ ઉપરાંત, ન્યાયાધીશને આતંકવાદ, ભેદભાવ, નફરત અથવા હિંસાના દોષિત વ્યક્તિને મસ્જિદની મુલાકાત લેતા અટકાવવાનો અધિકાર હશે. વિધેયકમાં વિદેશી ભંડોળ પર નજર રાખવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. કાયદો અમલમાં આવ્યા બાદ ૧૦ હજાર યુરોથી વધુના વિદેશી ભંડોળની સંપૂર્ણ માહિતી આપવી પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here