વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારના જણાવ્યા અનુસાર, સુષમા સ્વરાજ પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે મંત્રણા કરશે તે દરમિયાન પાકિસ્તાનમાં આવેલા શીખોના અતિ મહત્વના યાત્રાસ્થળ કરતારપુર સાહિબનો મુદો્ જરૂર રજૂ કરશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌલ બાદલે પણ આ અંગે વિદેશમંત્રીને પત્ર લખ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર અને લોકપ્રિય એન્કર નવજોત સિંઘ સિધ્ધુએ પણ આ અંગે રજૂઆત કરી હતી.