પાંચ વરસના શાસનકાળમાં પહેલીવાર વડાપ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ,કોન્ફરન્સમાં શાહે જ જવાબો આપ્યા, મોદી મૌન રહ્યા..

0
1081

ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ આપ્યાે ન હતો. જેને કારણે સોશ્યલ મિડિયા પર અનેક લોકોે એમની ટીકા કરી હતી. એક વ્યક્તિે ટવીટર પર લખ્યું હતું કે, આ પ્રેસ કોન્ફરન્સ નહોતી, પ્રેસ અપિયરન્સ હતું. અન્ય ટવીટમાં લખલામાં આવ્યું હતું કે, મોદીજી, ભીના થયા વિના સ્નાન કરનાર વ્યક્તિ છે. વાસ્તવમાં ચૂંટણી પ્રચાર માટેની સમય અવધિ સમાપ્ત થાય તે પહેલાં  આ પ્રેસ કોન્ફરન્સનું૆ આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહ દ્વારા આયોજિત ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન પણ મૌજૂદ રહ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, આ વખતે ભાજપને લોકસભાની 300 થી વધુ બેઠકો મળશે. એનડીએ જ સરકાર બનાવશે. અમિતશાહની સાથે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ પત્રકારોને સંબોધન કર્યું હતું

પ્રચાર -ઝુંબેશની અંતિમ-રેલીને સંબોધતાં વડાંપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ાવખતે પણ ભાજપની જ સરકાર રચાશે.અબકી બાર 300કે પાર, પરી એકવાર મોદી સરકાર.મોદીએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ પર અતિ આકરા પ્રહારો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here