પયગંબર પર ટિપ્પણીને લઈ હવે યુઍઈઍ કરી નિંદા

 

દુબઈઃ પયગંબર મોહમ્મદ વિરૂદ્ધ ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માઍ કરેલી ટિપ્પણી બાદ ઉભો થયેલો વિવાદ શાંત થવાને બદલે સતત વધી રહ્ના છે. વિશ્વના અનેક મુસ્લિમ દેશોઍ નૂપુર શર્માની ટિપ્પણી પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કુવૈત, કતર, ઈરાન બાદ હવે યૂઍઈઍ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી છે. યૂઍઈના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્નાં કે જે વ્યવહાર નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો વિરૂદ્ધ છે તેને યૂઍઈ નકારે છે. સંયુક્ત અરબ અમીરાતે કહ્નાં કે તમામ ધાર્મિક પ્રતિકોનું સન્માન કરવું જોઈઍ અને હેટ સ્પીચને સંપૂર્ણ રીતે હતોત્સાહિત કરવી જોઈઍ. નિવેદન પ્રમાણે આવી વાતોથી બચવું જોઈઍ જેનાથી કોઈ ધર્મના લોકોની ભાવનાઓને ભડકાવવાનો ખતરો ન હોય. ભાજપની પૂર્વ પ્રવક્તા તરફથી પયગંબર મોહમ્મદને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા દેશોઍ ભારતની સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનિય છે કે પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરનાર પાર્ટી પ્રવક્તા નૂપુર શર્માને ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધી હતી. તો નવીન કુમાર જિંદલને પાર્ટીઍ કાઢી મુક્યા છે. તે દિલ્હી ભાજપ મીડિયા સેલના હેડ હતા. આ સમગ્ર મામલો ૨૭ મેઍ નૂપુર શર્માઍ ઍક ટીવી ચેનલમાં ડિબેટ દરમિયાન કરેલી ટિપ્પણીથી શરૂ થયો હતો. તેની ક્લિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. નૂપુર શર્મા પર પયગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here