ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં બે થયેલા આતંકી હુમલામાં 6 ભારતીયોના મોત થયા હોવાની સંભાવના છે. વળી આ હુમલાને કારણે 9 ભારતીયો લાપતા થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ભારતીય અધિકારી સંજીવ કોહલીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે ભારતીયો અને ચાર ભારતીય મૂળના લોકો સહિત કુલ છ જણા મોતને ભેટ્યા હોવાનું મનાય છે. જોકે, ન્યુઝીલેન્ડની સરકારે હજી આ વાતની પુષ્ટિ કરી નથી. માર્યા ગયેલા ભારતીયોમાં હૈદરાબાદ, ગુજરાત અને પૂણેની વ્યક્તિઓ હોવાની સંભાવના છે.