નીતિ આયોગે સપ્ટેમ્બરમાં રોજના ૩ થી ૫ લાખ કેસની ભીતી દેખાડી

 

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ મહામારીનું વિકરાળ રૂપ એકવાર ફરી જોવા મળી શકે છે. નીતિ આયોગે કોરોનાની ત્રીજી લહેરને લઇને ચેતવણી જારી કરી છે. આયોગે આશંકા વર્તાઇ છે કે સપ્ટેમ્બરમાં ૪ થી ૫ લાખ કોરોના કેસ દરરોજ આવી શકે છે. દરેક ૧૦૦ કોરોના કેસમાંથી ૨૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરવી પડી શકે છે. એવામાં પહેલાથી જ બે લાખ આઇસીયુ બેડ્સ તૈયાર રાખવાની જરૂર છે. નીતિ આયોગે કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં કોવિડ બેડ અલગ રાખવાની ભલામણ કરી છે. 

આયોગનું કહેવું છે ખરાબ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવવા માટે પહેલેથી તૈયાર રહેવું પડશે. સપ્ટેમ્બર સુધી બે લાખ આઇસીયુ બેડ તૈયાર કરવા જોઇએ. આ સિવાય ૧.૨ લાખ વેન્ટિલેટરવાળા આઇસીયુ બેડ, ૭ લાખ ઓક્સિજનવાળા બેડ અને ૧૦ લાખ કોવિડ આઇસોલેશન કેર બેડ હોવા જોઇએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here