મુંબઇઃ ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી ચૂંટણીપંચે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લીધા હોય અને આ વારસો ઍકનાથ શિંદેના જૂથને આપી દીધા હોય પણ લડાઈ હજુ યથાવત્ જ છે. ઉદ્ધવ ઠાકરેઍ કહ્નાં કે અમે તો શિવસેના કહેવાનું ચાલુ રાખીશું. આટલું જ નહીં નવેસરથી પગભર થવા માટે સમગ્ર મહારાષ્ટ્ર ભ્રમણ કરવાની યોજના જાહેર કરતાં તેમણે કહ્નાં કે અમે સમગ્ર રાજ્યમાં રેલી યોજીશું. ઉદ્ધવ ઠાકરેઍ તેમના જૂથના નેતાઓનું સ્વાગત કરવા માટે રત્નાગિરીના ખેડમાં ઍક રેલીને સંબોધી હતી. ગત વર્ષે રાજ્યમાં ઍક બળવાને લીધે તેમની સરકાર પડી ભાંગ્યા બાદ ચૂંટણીપંચની ટીકા કરતાં ઠાકરેઍ કહ્નાં હતું કે ચૂંટણીપંચનો આદેશ છતાં અમે ખુદને શિવસેના કહેતા રહીશું. ભાજપ પર નામ ચોરી કરવાનો આરોપ મૂકતાં ઉદ્ધવે કહ્નાં કે તેમણે સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને હવે બાલાસાહેબ ઠાકરેનું નામ ચોરી લીધું છે. સરદાર પટેલે આરઍસઍસ પર શરતિબંધ મૂક્યો હતો.