નવા કૃષિ કાયદાના સમર્થનમાં ભાજપનું ખેડૂત સંમેલન, નેતાઓ દ્વારા બિલની માહિતી 

 

રાજકોટઃ ભાજપ દ્વારા આજથી ખેડૂતોમાં નવા કૃષિ કાયદાના સમર્થનમાં ખેડૂત સંમેલનની શરૂઆત જન જાગરણ અભિયાનથી શરૂ કરાયું છે. દેશભરમાં ૭૦૦ સ્થળોએ ભાજપ ખેડૂત સંમેલન યોજાશે. તો ગુજરાતમાં ૧૦ સ્થળોએ ખેડૂત સંમેલનનું આયોજન કરાયું છે. આજે બારડોલીમાંથી ખેડૂત સંમેલનની શરૂઆત થઈ છે. જેમાં ભાજપના નેતાઓ કૃષિ કાયદાઓ ખેડૂત સુધી પહોંચાડી રહ્યા છે. તેઓને કાયદા વિશે સમજાવી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનું બારડોલીમાં, રાજકોટના પડધરીમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય સરકારના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું.

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, કૃષિ બિલોને લઈ કેટલા સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બિલ સંબંધિત સાચી વાતો લોકો જાણે તે માટે ખેડૂત સંમેલનનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. મોટા ભાગે ખેડૂતો બિલની સાથે સહમત છે. સરકાર જે આશય સાથે બિલ લાવી છે આ અંગે વાતો ખેડૂતો સાથે કરવામાં આવશે. આ કાયદાથી ખેડૂતોને નુકશાન થતું હોય અથવા સંભાવના હોય તો સરકાર આ માટે સાંભળવા અને સમજવા માટે તૈયાર છે. ખેડૂતોની માંગણીઓ એવી છે કે આ બિલ પાછું ખેંચો. આ આંદોલન ખેડૂતોના હિત માટેનું નથી. 

ભારતના સાંસદમાં કાયદાને પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો પાછા લેવા વિરોધ થાય તો આ યોગ્ય ન કહી શકાય. મિનિમમ સપોટ પ્રાઇઝ (પ્લ્ભ્) સંબંધી કોઇ પ્રશ્નો મને ભૂતકાળમાં મળ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ નિર્ણય કર્યા બાદ બધાને પ્લ્ભ્ યાદ આવ્યું છે. કોન્ટ્રાકટ ફાર્મિંગના કોઈ પ્રશ્ન જમીન સંબંધિત સામે આવે તેમ નથી. કાઠિયાવાડમાં પણ કોન્ટ્રક ફાર્મિંગથી ખેતી થાય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે રાજકોટ અને જામનગરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યાં છે. ખેડૂતોએ કેન્દ્રીય મંત્રીનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું. કૃષિ સુધારા બિલ ૨૦૨૦ને સમર્થન આપવા અને ખેડૂતોને બિલ અંગે સાચી માહિતી આપવા આ સંમેલનનું આયોજન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here