દેશમાં ગૌ હત્યા થતી અટકાવવા માટે કડક કાયદો બનાવવો જોઈએ- બાબા રામદેવ

0
1057

 

યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું કે, ગૌ-તસ્કરી ( ગાયોની થતી ચોરી ) અટકાવવા માટે કોઈને કોઈ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પોલીસતંત્ર ગાયની તસ્કરી રોકવામાં નિષ્ફળ ગયું છે. આથી ગૌરક્ષકોને એ માટે આગેવાની લેવી પડી છે. ગૌહત્યા વિરુધ્ધ કાર્યવાહી કરવાની યોગગુરુ બાબા રામદેવે માગણી કરી હતી.

    ગૌહત્યાની સામે કોઈ સખ્તાઈથી અવાજ ઊઠાવતુ નથી, કોઈ એનો વિરોધ કરતું નથી. આથી ગૌહત્યાને  પ્રોત્સાહન મળે છે. આપણા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો બનાવવાની આવશ્યકતા છે. આવો કાયદો બનાવીશું તો ગાયમાતાની કતલ નહિ થાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here