ભારતમાં કોરોનાનું સંક્રમણ ફરી પાછું શરૂ થઈ ગયું છે. નવા કેસોની સંખ્યા વધતી જાય છે. નવા નવા કેસોને લીધે પરિસ્થિતિ વધુ ભયંકર બનતી જાય છે. દેશના પંજાબ, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાના 84 ટકા કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં સંક્રમણ 67 ટકા જેટલું વધ્યું છે.ખૂબજ ઝડપથી મહામારી વધતી હોવાથી હવે રાજયોને પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રના મોટા મહાનગરોમાં- ખાસ કરીને મુંબઈ, પૂણે, નાસિક નાગપુર વગેરેમાં કેસની સંખ્યા વધતી જાય છે.