દુનિયાના વિકાસની ગતિ ધીમી પડી એના માટે ભારત જવાબદારઃ IMF

 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડે (IMF) ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ખૂબ જ ઘટાડી દીધો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી દર અંદાજે ૪.૮ ટકા રહેશે.IMF કહ્યું હતું કે ભારત અને એના જેવા બીજા ઊભરતા દેશોમાં સુસ્તીના લીધે દુનિયાના ગ્રોથ અનુમાનને તેને ઘટાડવા પડ્યા છે. ત્પ્જ્એ દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમી (WEF)ની બેઠક દરમિયાન આ અનુમાનને રજૂ કર્યો હતો. આ અંગે ત્પ્જ્નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ગ્લોબલ ગ્રોથના અનુમાનમાં ૮૦થી વધુ  ઘટાડા માટે ભારત જવાબદાર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ૨૦૧૯ માટે વૈશ્વિક વિકાસ ૨.૯ ટકા અને ૨૦૨૦ માટે ૩.૩ ટકા અંદાજ્યો છે, જે ઓક્ટોબરના અનુમાન કરતાં ૦.૧ ટકા ઓછો છે. એનો મોટા ભાગનો હિસ્સો ભારત માટે અમારા ડાઉનગ્રેડથી આવે છે, જે બંને વર્ષો માટે ખૂબ જ અગત્યનો હતો. 

જ્યારેે ગીતા ગોપીનાથને પૂછવામાં આવ્યું હતું કે ભારતની આર્થિક મંદીએ વૈશ્વિક પૂર્વાનુમાનોને કેટલી હદ સુધી અસર કરી છે તો તેમણે કહ્યું, ‘સરળ ગણતરી કહે છે કે આ ૮૦થી વધુ હશે.’ ભારતીય અર્થતંત્રમાં વધતા અનુમાનને ઘટાડવા અંગે તેમણે કહ્યું હતું કે ભારતના પહેલા બે ત્રિમાસિકનાં અનુમાનોની તુલનામાં આપણે નબળા હતા. મુખ્યત્વે નોન-બેન્કિંગ નાણાકીય ક્ષેત્રમાં નરમાઈ અને ગ્રામીણ ક્ષેત્રની આવકમાં નરમાઈને લીધે ભારતના આર્થિક વિકાસદરના અનુમાનમાં ઘટાડો કરાયો છે. 

વધુમાં, ગીતા ગોપીનાથે કહ્યું હતું કે ૨૦૨૦ સુધી ભારતીય અર્થતંત્રમાં ૫.૮ ટકા જીડીપી રહેવાનો અંદાજ છે અને આગળ જતાં ૨૦૨૧માં સુધરીને ૬.૫ ટકા રહી શકે છે. ભારતના અર્થતંત્રને પાટા પર લાવવા માટે તેમણે કહ્યું હતું કે અમે ભારતને ઊભરતું જોઈએ છીએ. આવતા નાણાકીય વર્ષમાં મહત્ત્વપૂર્ણ રિકવરી જોવા મળશેે. સરકારની સામે સૌથી મોટો પડકાર એનપીએની સમસ્યાને દૂર કર્યા વગર વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ૨૦૨૦માં વૈશ્વિક વૃદ્ઘિમાં તેજી હજુ ઘણી અનિશ્ચિત બનેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here