ત્રાસવાદી સંગઠન જૈશની ધમકીઃ વડાપ્રદાન નરેન્દ્ર મોદીની રેલીમાં બે કિલો આરડીએકસ ( વિસ્ફોટક) થી મંચ ફુકી મારવાની ધમકી …

0
892


કાલિન્દી એકસપ્રેસમાં થયેલા વિશ્ફોટ બાદ તપાસ દરમિયાન ટ્રેનની બોગીમાંથી મળેલા એક પત્રથી સુરક્ષાતંત્ર ચિંતામાં પડી ગ૟ું હતું. જૈશ- એ. મોહમ્મદના એજન્ટના  નામથી મળેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર- રેલીમાં આરડીએકસથી વિસ્ફોટ કરવાની વાત લખવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર, પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું છેકે, મોદીના મંચને બોમ્બથી ઉડાવી દેવાનો છે. તેના માટે બે કિલો આરડીએકસ મંચ પર લગાવવાની વાત કરવામાં આવી છે. આ કામ કરવાના પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે એવું પત્રમાં લખવામાં આવ્યું હતું. પત્રમાં નીચે જૈશ-એ- મોહમ્મદનું નામ  નામ લખવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here