ભારતમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષણની શરૂઆત કરનાર ક્રાન્તિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ આર્ટસ કોલેજની સ્થાપના કરી. એનું ઉદ્ઘાટન એ સમયના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો છે. મહાન શિક્ષણશાસ્ત્રી અને તત્વચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન દ્વારા શ્રી સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનું લોકાર્પણ સમયની તસ્વીર.