જમ્મુ- કાશ્મીરના મામલા અંગે તાત્કાલિક સુનાવણી  કરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધોઃ જમ્મુ- કાશ્મીરનમાં લાદવામાં આવેલા પ્રતિબંધો વિરુધ્ધ કોંગ્રેસના સમર્થક તહસીન પૂનાવાલાએ અરજી કરી હતી…

0
900

 

જમ્મુ- કાશ્મીરના મામલે તરત સુનાવણી કરીને આ બાબત હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. કોંગ્રસના નેતા તહસીન પૂનાવાલાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી કે, જમ્મુ- કાશ્મીરમાં 370 કલમ મોદી સરકારે રદ કર્યા બાદ લાદવામાં આવેલા  અંકુશો રદ કરવામાં આવવા જોઈએ. સરકારે ઉપરોકત પ્રદેશમાં ફોન- ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તે લોકોની આઝાદી પર મૂકવામાં આવેલા પ્રતિબંધો ગેર બંધારણીય છે, આ બાબત તાત્કાલિક સુનાવણી કરવામાં આવવી જોઈએ.તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ અતિ સંવેદનશીલ મુદો્ છે. આપણે થોડાક દિવસ રાહ જોવી જોઈએ.  એ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, સરકાર પર વિશ્વાસ રાખવો જોઈએ. કોઈની જાનહાનિ ના થાય તેની કાળજી રાખવી જોઈએ.બે સપ્તાહ બાદ પરિસ્થિતિ અવલોકન કરાયા બાદ સુનાવણી કરવામાં આવશે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here