જગદીશ ત્રિવેદી પ્રેરીત આઈફા બાળ સેવા કેન્દ્રનું પાટડીમાં લોકાર્પણ કરાયું

 

સુરેન્દ્રનગરઃ જગદીશ ત્રિવેદીના જન્મદિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરના સામુહીક આરોગ્ય કેન્દ્રમાં કુપોષિત બાળકોની સેવા માટેના તદ્દન નવા ભવનનું લોકાર્પણ થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધું કુપોષિત બાળકોની સંખ્યા પાટડી તાલુકામાં હોવાથી સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીઍ પાટડી ઉપર પસંદગી ઉતારી હતી. ઍમની પ્રેરણાથી ઍમના મિત્રોની સંસ્થા આઈફાકેનેડાઍ ગત જૂન માસમાં કેનેડામાં જગદીશ ત્રિવેદીના કુલ ત્રણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હાસ્યરસના ત્રણ કાર્યક્રમોની આવકમાંથી આઈફા બાળ સેવા કેન્દ્રની ઈમારત બની ગઈ છે. જેમાં બાળકો માટે હોલ ઉપરાંત ડોકટરની ઓફીસ અને કીચનનું નિર્માણ થયું છે.

સ્વામિનારાયણ ગુરૂકુળછારોડી, અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે સરકારી સેવા કેન્દ્રનું લોકાર્પણ થયું હતું. પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી, જિલ્લા આરોગ્ય અઘિકારી ગોહીલ, સુરેન્દ્રનગર વિદ્યાર્થીભૂવનના મહાત્માસ્વામી, કથાકાર અશ્વિનકુમાર શાસ્ત્રી, ડો. પી. સી. શાહ તેમજ ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર અને પાટડીના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. જિલ્લા આરોગ્ય અઘિકારીઍ જણાવ્યું હતું કે સુવિધાયુક્ત બાળ સેવા કેન્દ્રથી હવે વિસ્તારના બાળકોની વધું સારી સેવા થશે.

જગદીશ ત્રિવેદીઍ જણાવ્યું હતું કે બાળકો અહમ્, ઇર્ષા અને દંભરહીત હોવાથી ઈશ્વરની વધું નજીક હોય છે. મને બાળકોની સેવા માટે નિમિત્ત બનવા મળ્યું મારૂં સૌભાગ્ય છે. માધવપ્રિયદાસજી સ્વામીઍ કહ્નાં હતું કે અમે વરસોથી ઈશ્વરને થાળ ધરાવીઍ છીઍ પણ ક્યાંરેય ઈશ્વરને આરોગવા માટે આવતા જોયા નથી પરંતુ અહીં બાળ સેવા કેન્દ્રમાં દરરોજ બાળસ્વરૂપે ઈશ્વર આવશે અને જે પ્રેમથી ધરશો તે આરોગશે. ઉપરવાળા જગદીશે નીચેવાળા જગદીશને સેવા માટે પ્રેરણા કરાવી છે. છેલ્લે દેવાંગ રાવલે સૌનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here