ચીનનું ‘કબૂલનામું’ પોતે નષ્ટ કર્યું હતું કોરોના વાઇરસનું સેમ્પલ

 

નવી દિલ્હીઃ ભલે કોરોના વાઇરસ અને તેના સંક્રમણને લઇને ચીન હવે અત્યાર સુધી આખી દુનિયા સામે ખોટું બોલે છે. પરંતુ માનવતાની વિરુદ્ધ સૌથી મોટું જુઠ બોલનાર ચીનને હવે ચૂપ રહેવાનો સમય આવી ગયો છે. કારણ કે ચીને સ્વિકારી લીધું છે કે તેણે દુનિયામાં ફેલાયેલા શરૂઆતના સેમ્પલને નષ્ટ કરી દીધા હતા. અમેરિકા આ વાતનો આરોપ લગાવે છે કે ચીને આમ એટલા માટે કર્યું જેથી દુનિયાને એ ખબર પડી શકે કે વાઇરસ ક્યાંથી ફેલાવવાનો શરૂ થયો.  

 જે દિવસથી દુનિયામાં કોરોના વાઇરસે પોતાનો પગપેસારો અને લોકોને ઘૂંટાઇને મરવા પર મજબૂર કરી દીધા. તે દિવસથી ઘણા દેશો આ પ્રશ્નને લઇને ચીન પર આરોપ લગાવતા હતા કે શું ચીને જાણીજોઇને લાખો લોકોને મરવા દીધા? આખરે કેમ ચીન સંક્રમણની ચેનમાં સૌથી પહેલો દેશ હોવાછતાં કોરોના વાઇરસના પ્રભાવથી ઝડપથી બહાર નિકળવામાં સફળ રહ્યો? તો તમને જણાવી દઇએ કે ચીન અને કોરોના વાઇરસના કનેક્શન સાથે જોડાયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોનો જવાબ આખરે મળી ગયો છે. 

ચાઇનાએ સ્વિકાર્યું છે કે તેણે દેશમાં ફેલાયેલા કોરોના વાઇરસના શરૂઆતી સેમ્પલ્સને નષ્ટ કરી દીધા હતા. અમેરિકા આ વાતનો આરોપ લગાવતું રહ્યું છે કે ચીને આમ એટલા માટે કર્યું જેથી દુનિયા એ જાણી ન શકે કે વાઇરસ ક્યાંથી ફેલાવવાનું શરૂ થયું. 

કોરોના વાઇરસને લઇને ચીનને શરૂઆતથી ટીકા અને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે એકવાર ફરીથી પ્રશ્નોની હારમાળા લાગી ગઇ છે. આ અધિકારીએ ખુલાસો કર્યો છે કે દેશમાં કોરોના વાઇરસના શરૂઆતના સેમ્પલ્સને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ખતરનાક વાઇરસને ફેલાતા બાયોસેફ્ટીને ધ્યાનમાં રાખતાં એક્સપર્ટ્સની સલાહ અને રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમેરિકા ચીન પર કોરોના વાઇરસના નિર્ણયને લઇને સતત આરોપ લાગતા રહ્યા છે અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો પહેલાં પણ આરોપ લગાવી ચૂક્યા છે કે દેશની કોમ્યુનિસ્ટ પાર્ટી પર વૈશ્વિક મહામારીની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પારદર્શિતાને નેવી મુકી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો છે ક ચીને વાઇરસના સેમ્પલ નષ્ટ કરી દીધા જેથી ક્યાંથી પેદા થયો એ ખબર પડવી મુશ્કેલ થઇ ગઇ છે. 

જોકે ચીનના અનુસાર પોમ્પિયોનું નિવેદન ગુમરાહ કરનાર છે. ચીને દાવો કર્યો છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સાવધાનીના ભાગરૂપે સેમ્પલ્સને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કોઇ લેબમાં વાઇરસને સ્ટોર કરવા માટે જરૂરી કંડીશન્સ નથી તો તેને ત્યાં નષ્ટ કરી દેવો જોઇએ અથવા એવા પ્રોફેશનલ સ્ટોરેજ ઇનિ્સ્ટટ્યૂશન્સમાં મોકલી દેવો જોઇએ જ્યાં એવી સુવિધા હોય, એવા નિયમોનું સખતાઇપૂર્વક પાલન કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here