ચીન દિન-પ્રતિદિન પોતાની શસ્ત્ર ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરીને એશિયામાં પોતાની વગ વધારવાના પ્રયાસો કરતું રહ્યું છે. ચીન પોતાની વાયુસેનાના કાફલામાં જે-20 લડાયક બોમ્બવર્ષક વિમાનોને ઉમેરો કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ લડાયક વિમાનોને કારણે ચીન એશિય- પ્રશાંત મહાસાગર વિસ્તારમાં જાપાન અને અમેરિકાના વધતા જતા વર્ચસ્વને રોકવા માટે સક્ષમ બની જશે. ચીનની આ સજ્જ વાયુસેનાની સીધી અસર ભારતની વાયુ સેના પર થશે એમ નિષ્ણાતે માની રહ્યા છે. ભારતની વાયુસેનાની લડાયક ક્ષમતા પર એની અસર થવાની સંભાવના નકારી શકાયએમ થી. ભારતની પાસે હજી સુધી રડારથી બચીને આક્રમણ કરી શકે એવા લડાયક વિમાન ઉપલબ્ધ નથી.