ગુજરાત હવે સંપૂર્ણ અનલોક તરફઃ ૧૧મી જૂનથી ધાર્મિક સ્થળો ખૂલશે

 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસનો કેર ઘટતા હવે રાજ્યમાં લદાયેલા કોરોના ગાઇડલાઇનના નિયંત્રણોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ૧૧મી જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટેલ આ સમયગાળા એટલે કે ૧૧મી જૂન ૨૦૨૧ થી ૨૬મી જૂનના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના ૫૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે. જોકે રાત્રિ કરફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં. રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ તારીખ ૧૧ જૂન રાત્રે ૯ થી ૨૬ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે.

રાજ્યમાં તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરાયો છે. લાઇબ્રેરી અને જીમ ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જિમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. આઇઇએલટીએસ અને ટીઓઇએફએલ વગેરેની પરીક્ષાઓ યોજી શકાશે. રાજકીય, સામાજિક કાર્યક્રમો ૫૦ વ્યક્તિની હાજરી મર્યાદામાં થઈ શકશે

રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. ધાર્મિક સ્થળો પર એક સાથે ૫૦ વ્યક્તિ જ એકઠા થઈ શકશે

રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ ૬૦ ટકા પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here