ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યોઃ હાલ ૧૧૦૨ કોરોનાના ઍક્ટિવ કેસ

 

અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો છે. ફરી ઍકવાર કોરોનાના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્ના છે. રાજ્યમાં ૨૦૦થી વધુ નવા કેસ નોંધાઈ રહ્ના છે. જ્યારે ૧૩૧ દર્દી સાજા થયા છે. જોકે, નવા રિપોર્ટ મુજબ ગુજરાતમાં હાલ ૨૨૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૧૭ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. ગુજરાતમાં હાલ ૧૧૦૨ કોરોનાના ઍક્ટિવ કેસ છે. અમદાવાદમાં સૌથી વધુ ૧૧૬ કેસ નોંધાયા છે. તબીબોની સલાહ છેકે, કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્નાં છે તો દેરેકે ફરજિયાત માસ્ક પહેરવાની જરૂર છે. વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝ કરવા પણ જરૂરી છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સને ફોલો નહિ કરવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે.

ગુજરાતમાં કોરોના વાયરસના ૨૨૮ નવા કેસ, રાજ્યમાં ૧૧૭ દર્દી સારવાર બાદ સાજા થયા. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ ૧૧૬ નવા કેસ, વડોદરામાં ૩૦, સુરતમાં ૨૬, રાજકોટમાં ૧૨, ગાંધીનગરજામનગરમાં , નવસારીમાં , ભરૂચમાં , આણંદ, મહેસાણા, વલસાડમાં કેસ નોîધાયા છે. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ ૧૪ હજાર ૬૦૫ કેસ ૩૦ ઍપ્રિલમાં નોંધાયા હતા. જે ૨૬૩ દિવસ અગાઉ હતાં, તો ૨૩૨ દિવસ બાદ ૧૩નાં મોત થયાં છે. અગાઉ જૂને ૧૩નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે ૨૧૨૨૫ કેસ બીજી લહેરની પીક તોડી નાંખી છે. ૩૦ ઍપ્રિલ ૨૦૨૧ના રોજ બીજી લહેરની પીક ૧૪૬૦૫ કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક ૨૭ નવેમ્બરના રોજ ૧૬૦૭ કેસ પર આવી હતી. ૨૦ જાન્યુઆરીઍ ૨૪૪૮૫ કેસ નોંધાયા હતા. ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.૧૭ જાન્યુઆરીઍ ૧૨૭૫૩ કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં ૧૧૭૩૨ કેસનો વધારો થઈને ૨૦ જાન્યુઆરીઍ અત્યાર સુધીના સૌથી વધુ ઍટલે કે ૨૪૪૮૫ કેસ નોંધાયા હતા