ગંગાને બચાવવા માટે 112 દિવસના  અનશન પર બેઠેલા પર્યાવરણવિદ્ જીડી અગ્રવાલનું અવસાન

0
838
Varanasi: A view of the swollen Ganga river at Varanasi's Assi Ghat, on Sept 6, 2018. The swelling Ganga river has inundated the temples on Varanasi ghats and forced cremations at the Manikarnika to be shifted to upper platforms. The river rose by over two metres in the last 24-hours. (Photo: IANS)

 

IANS

ભારતની જીવાદોરી,ભારતીય સંસ્કૃતિનો પરિચય આપતી ગંગાની સુરક્ષા માટે  સરકાર પાસે પોતાની માગણીઓ માન્ય કરાવવા માટે ઉપવાસ પર ઉતરેલા 84 વરસના પર્યાવરણવિદ્ પ્રાધ્યાપક જીડી અગ્રવાલ 112 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. ગંગા નદીની સફાઈ, સ્વચ્છતા તેમજ એની ગરિમા જળવાઈ રહે તે માટે એમણે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પણ કશું પરિણામ આવ્યુ નહોતું. તેમણે જળત્યાગ કર્યો એના આગળના દિવસે ઉત્તરાખંડના વહીવટી તંત્ર દ્વારા તેમને બળજબરી કરીને ઋષિકેશ સ્થિત સરકારી હોસિપટલ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here