ખેડૂતોના લાભ માટે ભાજપ આગામી ફેબ્રુઆરી મહિનામાં કિસાન કલ્યાણ પત્ર નામનો એક વિશેષ ખરડો પ્રસ્તુત કરશે

0
1100
Gujarat's chief minister Narendra Modi speaks during the "Vibrant Gujarat Summit" at Gandhinagar in the western Indian state of Gujarat January 12, 2013. Fresh off his re-election as chief minister of Gujarat and amid expectations he could contend to be the next prime minister, Modi avoided talk of a bigger political future during a state investment event. REUTERS/Amit Dave (INDIA - Tags: POLITICS)
)

ભાજપ હવે એક એક પગલું ધ્યાન રાખીને ભરી રહ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પાંચ રાજ્યોમાં ભાજપને મળેલી નાલેશીભરી હારથી ભાજપની છબી ઝાંખી પડી ગઈ છે. લોકોને ધીરે ધીરે ભાજપ પરથી ભરોસો  ઓછો થતો જાય છે. આથી ખેડૂતોમાં પુનઃ વિશ્વાસ સંપાદન કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના આ ખરડામાં ખેડૂતોની દરેક સમસ્યાઓનું નિરાકરણ અને સમાધાનનું વિસ્તૃત માળખું હશે.

   ઉપરોક્ત કિસાન કલ્યાણ પત્રને ભાજપના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ રજૂ કરશે. આ સંમેલન ઉત્તરપ્રદેશના પૂર્વાંચલમાં આગામી 21-22 ફેબ્રુઆરીના આશરે બે લાખ જેટલા  ખેડૂતોની હાજરીમાં યોજાશે. કોંગ્રેસ અને વિપક્ષની રણનીતિને લક્ષમાં રાખીને ભાજપે ખેડૂતોના મુદા્ વિષે ગંભીરપણે વિચારવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોનો વિશ્વાસ પુન સંપાદિત કરવામાટે ભાજપ હવે મરણિયા પ્રયાસ કરશે એ નક્કી છે. આગામી લોકસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ ભાજપ જાતજાતની રાહતોથી ભરપૂર કિસાન કલ્યાણ પત્ર રજૂ કરીને ખેડૂતોના મન જીતી લેવા માગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here