કોરોના વેક્સિન દરેક વ્યક્તિને  લગાવવામાં આવશેઃ વડા પ્રધાન મોદી

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ કાળમાં પહેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનને લઈને મોટી જાહેરાત કરી છે કે, જ્યારે પણ વેક્સિન આવશે તો દરેક વ્યક્તિને લગાવવામાં આવશે. તેઓએ હાલના સમયે બદલાઈ રહેલ પરિસ્થિતિ છતાં વિશ્વભરમાં ન્યુ ઈન્ડિયા વિઝનને પણ દેશની સામે રાખ્યું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કેવી રીતે લોકડાઉન લોકોનો જીવ બચાવવામાં કારગત નીવડ્યું છે. અર્થવ્યવસ્થા કેવી રીતે તેજીથી પાટા પર આવી ગઈ છે. તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ હજી પણ ૨૦૨૪ સુધી પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને લઈને આશાવાદી છે. વડા પ્રધાને પોતાના ટીકાકારોને સણસણતો જવાબ આપતા કહ્યું કે, જેઓએ માત્ર સરકારનો દરેક રીતે વિરોધ કરવાનો છે, તેથી કંઈ પણ કરી રહ્યાં છે. વેક્સિન જ્યારે પણ આવશે તો દરેક ભારતવાસીને આપવામાં આવશે. કૃષિ અને શ્રમ વિસ્તારમાં સુધારા પર તેમણે કહ્યું કે, હવે ભારત તરફથી વૈશ્વિક ઈન્વેસ્ટર્સ માટે મોટો સંકેત છે. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે, ગ્લોબલ સપ્લાય ચેનમાં ચીનનો વિકલ્પ કેવી રીતે બનીશું, તેના જવાબમાં કહ્યું કે, આપણો ઉદ્દેશ્ય કોઈ દેશનો વિકલ્પ બનવાનો નથી, પરંતુ એક એવો દેશ બનવાનો છે, જે અદ્વિતીય તક પ્રદાન કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here