કરતારપુર સાહેબ કોરિડોરના નિર્માણનો આરંભ કરનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સામે વિરોધ શરૂ થયો છે

0
821

 

ભારતના સીમા ક્ષેત્રને પાકિસ્તાન સ્થિત  કરતારપુર સાહિબ સાથે જોડતા કોરિડોરના નિર્માણને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લીલી ઝંડી આપીને શરૂઆત  કરી , તેનો તેમના જ વતન પાકિસ્તાનમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમીયત ઉલેમા -એ- ઈસ્લામના પ્રમુખ મૌલાના ઉજલુર રહેમાને જણાવ્યું હતું કે, ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને વિશ્વાસમાં લીધા વગર જ ભારત સાથે કરતારપુર કોરિડોર નિર્માણ કરવાની શરૂઆત કરી, તે અયોગ્ય કહેવાય. પાકિસ્તાને આ એકતરફી નિર્ણય લીધો હતો. ભારત જયારે પાકિસ્તાન સાથે જોડાયેલા રૂટને (માર્ગ- પરિવહન) બંધ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરિડોર અંગે લેવામાં આવેલો નિર્ણય એકતરફી હતો. આવા નિર્ણય માટે પાકિસ્તાને કિંમત ચુકાવવી પડશે. ઈમરાન ખાને આપખુદીથી આ પગલું લેવાની જરૂરત નહોતી, તેમણે દેશની સંસદને વિશ્વાસમાં લઈને પગલું ભરવાની જરૂર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here