કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સિનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ

 

અમદાવાદઃ જિંદગીને સામાન્ય કરવાનો પડકાર… અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર… પડકાર એ વાતનો છે કે લોકો ફરી એકવાર જીવી શકે, ઉજવણી કરી શકે. પડકાર એ પણ કે ફરી એકવાર સ્કૂલ ખૂલી શકે. લોકો પોતાના કામકાજ વર્ષ પહેલા જે રીતે કરતા હતા તે જ પ્રમાણે કરી શકે. જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે. આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ ન થઈ શકે જ્યારે વેેક્સિન આવી જાય. શરૂઆત ત્યારે થશે જ્યારે વેેક્સિનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે. ત્યારે આ આતુરતાનો અંત આવ્યો છે. પૂણેની સિરમ ઈનિ્સ્ટટ્યૂટમાંથી નીકળેલી વેેક્સિન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતને ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેેક્સિનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેેક્સિનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.  હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેેક્સિનને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેેક્સિનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

પુષ્પક વિમાનની જેમ આ વિમાનની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આખરે તેનું લેન્ડિંગ થયું છે. વેેક્સિનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈનિ્સ્ટટ્યૂટમાંથી આવેલી કોરોના વેેક્સિનના બોક્સ પર સર્વે સંતુ નિરામયા લખાયેલું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેેક્સિનને રવાના કરી છે. નીતિન પટેલે વેક્સિનની ગાડીને લીલીઝંડી આપી હતી, ત્યાર બાદ તેે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેક્સિનનો કુલ ૭,૭૬,૦૦૦ જથ્થો આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો નીકળ્યો છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

વેેક્સિનને આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારે મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં કોરોના રસી મોકલી દીધી છે. ૧૬ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. મંગળવારે ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા પૂણેથી ૨,૭૬,૦૦૦ વેેક્સિનનો જથ્થો મોકલી આપ્યો છે. આ જથ્થો સ્વીકારવા અને પ્રજાની લાગણી અને જરૂરિયાતને પૂરી કરવા સતત પ્રયાસો ચાલુ રહ્યાં છે. દેશ રાહ જોઇ રહ્યો હતો એ રસી આવી ગઈ. ગુજરાતમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવાની રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરાઈ છે. રસીને લેવા માટે અમે આજે પહોંચ્યા છીએ. ભારતના વડા પ્રધાન લોકોની જે ચિંતા કરી રહ્યા છે તે દેખાય છે. લોકોનો ઉત્સાહ જ બતાવે છે કે વેેક્સિનથી કેવી રાહત થવાની છે. દેશના ૩૦ કરોડ નાગરિકોને જે વેેક્સિનેશન કરવાની છે, તેના જથ્થાનો સપ્લાય થઇ રહ્યો છે. 

વડોદરા ઝોનને ૯૪,૫૦૦ વેેક્સિન ડોઝ ફાળવણી કરવામાં આવી છે. કોવિડ વેેક્સિન વડોદરામાં મંગળવાર અથવા બુધવારે પહોંચી શકે છે. પૂણેથી બાય એર આવે તો આજે અને બાય રોડ આવે તો આવતીકાલે વેકસીન વડોદરા પહોંચશે. વડોદરા કોર્પોરેશન અને ૭ જિલ્લાને વેેક્સિન ફાળવવામાં આવનાર છે. જેના માટે વડોદરા રિજનલ સ્ટોરેજ ખાતે કોવિશિલ્ડ વેેક્સિીન પહોંચશે. કોર્પોરેશનને ૧૬,૪૦૦ ડોઝ, વડોદરાને ૧૦,૪૩૮, નર્મદાને ૪,૨૧૫, છોટા ઉદેપુર ૫,૮૭૯, ભરૂચને ૧૦,૧૧૯, દાહોદને ૧૨,૬૧૯, મહીસાગરને ૬,૭૩૦ અને પંચમહાલને ૮,૪૧૯ ડોઝ મોકલાશે. વડોદરા ઝોન પાસે ૧૪,૫૦,૦૦૦ ડોઝ રાખવાની કેપેસિટી છે. આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં રસી રાખવામાં આવશે. ૧૧ આઈ.એલ.આર રેફ્રિજરેટરમાં વેેક્સિનના ડોઝ મૂકવામાં આવશે. ૨૫ આઈ.એલ.આર.માંથી ૨૩ રેફ્રિજરેટર ૭ જિલ્લામાં મોકલાયા છે. વેેક્સિન આવતા જતા સુરક્ષા માટે પોલીસનું વાહન પાયલોટિંગમાં રહેશે. રિજનલ સ્ટોરેજ ખાતે ૨ હથિયારધારી પોલીસ કર્મી ૨૪ કલાક હાજર રહેશે. દરેક જિલ્લામાંથી ફાર્મસીસ સાથે ત્રણનો સ્ટાફ વેેક્સિન લેવા રિજનલ ઓફિસ પહોંચશે. 

વેક્સિન બુધવાર સવાર સુધીમાં રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રમાં કોરોનાની વેક્સિન જ્યાં રાખવામાં આવશે તે રિજિયોનલ રૂમમાં બુધવારે સૌરાષ્ટ્ર ઝોન માટે કોવિશિલ્ડના ૭૭ હજાર ડોઝની ફાળવણી કરવામાં આવશે. જ્યાં વેેક્સિન સ્ટોરેજ રાખવામાં આવ્યું છે તે જગ્યાને પ્રતિબંધિત જગ્યા જાહેર કરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ વેેક્સિનના જથ્થાને અલગ અલગ જિલ્લાને વહેંચી દેવામાં આવશે. સવારે એરપોર્ટથી વેેક્સિન સ્ટોર સુધી પોલીસ બંદોબસ્ત સાથે વેેક્સિનને પહોંચાડવામાં આવશે. બુધવારે મુંબઇથી વેેક્સિનનો જથ્થો રાજકોટ આવશે. રાજકોટથી કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને તમામ જિલ્લા મથકોએ રાખવામાં આવશે. જે તે જિલ્લા મથકથી નગરપાલિકા વિસ્તારમાં પહોંચાડવાની જવાબદારી સંબંધિત જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને કલેકટરોને સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here