ઈઝરાયેલમાં ન્યાયતંત્ર વિવાદાસ્પદ ફેરફાર અંગે રાષ્ટ્રપતિ પણ નેતન્યાહૂની વિરૂદ્ઘ

ઈઝરાયેલઃ નેતન્યાહૂની સરકાર આ અઠવાડિયે એક બિલ પર સંસદમાં મતદાન કરવાની યોજના ધરાવે છે જે શાસક ગઠબંધનને ન્યાયિક નિમણૂંકો પણ અંતિમ નિર્ણય આપશે. તેમાં કાયદાઓ પસાર કરવા માટેની જોગવાઇઓ પણ છે જે સંસદને સર્વોચ્ચ અદાલતના નિર્ણયોને ઉથલાવી દેવા અને કાયદાઓની ન્યાયિક સમીક્ષાને મર્યાદિત કરવા માટે સરળ બહુમતી સાથે સશકિતકરણ કરશે. નેતન્યાહૂમ અને તેમના સાથીઓ દલીલ કરે છે કે આ યોજના ન્યાયિક અને કાર્યકારી શાખાઓ વચ્ચે સંતુલન પુન: સ્થાપિત કરશે. પરંતુ ટીકાકારો કહે છે કે કાયદો ઇઝરાયેલની લોકશાહી પ્રણાલીને ખલેલ પહોંચાડશે અને સત્તાધારી ગઠબંધનને સત્તા સોંપશે. તેઓ એમ પણ કહે છે કે ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા નેતન્યાહૂ માટે પણ આ કાયદો હિતોનો સંઘર્ષ છે.
પ્રધાનમંત્રી નેતન્યાહૂના સુધારણા બિલના વિરોધમાં ભારતમાં ઇઝરાયેલના રાજદૂત સહિત એમ્બેસીના અધિકારીઓ હડતાળ પર: તેલ અવીવ એરપોર્ટ પર કામ કરતા કર્મચારી હડતાળ પર ઉતરી જતા ફલાઇટસના ટેક ઓફ પર રોક લગાવી છે.
નેતન્યાહૂ સરકારની ઇઝરાયેલમાં ન્યાયતંત્રમાં સુધારો કરવાની યોજના પર વિવાદ વધતો જ જાય છે. હાલમાં જ આ યોજના વિરૂદ્ઘ નિવેદન આપનાર રક્ષા મંત્રીને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ હટાવી દીધા હતા. જો કે, હવે ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે ઇઝરાયેલના પ્રધાનમંત્રીનેે આ વિવાદાસ્પદ યોજાનાને તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. હરઝોંગે ચેતવણી આપી હતી કે આ યોજનાને કારણે દેશની સુરક્ષા, અર્થતંત્ર અને સમાજ પણ જોખમમાં છે.
રાષ્ટ્રપતિની અપીલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટને યોજનાને વિરોધ કરવા બદલ બરતરફ કર્યાના એક દિવસ પછી આવી.
ગેલન્ટે ન્યાયતંત્રમાં ફેરફાર કરવાની નેતન્યાહૂની યોજનાને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. જો કે સંરક્ષણ મંત્રીને પદ પરથી હટાવવાના નેતન્યાહૂના નિર્ણય સામે મોટી સંખ્યામાં વિરોધીઓ ઇઝરાયેલના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને હરઝોંગે સરકારને દેશના હિત માટે રાજકીય મતભેદો બાજુ પર રાખવાની અપીલ પણ કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ગઇ રાત્રે અમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ જોઇ. હું વડાપ્રધાન, સરકારના સભ્યો અને ગઠબંધનના સભ્યોને અપીલ કરું છું કે કેટલીક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમગ્ર દેશ ઊંડી ચિંતામાં ડૂબી ગયો છે. આપણી સુરક્ષા, અર્થતંત્ર, સમાજ-બધું જોખમમાં છે. ઇઝરાયેલના બધા લોકો આશાભરી આંખોથી તમારી તરફ જોઇ રહ્યાં છે. બધા યહૂદી લોકો તમારી પર આશા લગાવી બેઠા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, એકતા ખાતર, ઇઝરાયેલના લોકોની આવશ્યક જવાબદારી, હું તમને તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયાને રોકવા માટે અપીલ કરું છું. સત્તામાં રહેલા તમામ નેતાઓને દેશના નાગરિકોને બીજા બધાથી સર્વોપરી મૂકવા વિનંતી કરું છું. ન્યાયતંત્રમાં સુધારો કરવાની સરકારની યોજનાને માત્ર ઇઝરાયેલમાં જ નહી, પણ નેતન્યાહૂની ઇટાલી, જર્મની અને બ્રિટનની મુલાકાતો દરમિયાન યહૂદી ડાયસ્પોરાના હજારો સભ્યો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. પ્રદર્શનોએ બિઝનેસ લીડર્સ, ભૂતપૂર્વ સુરક્ષા વડાઓ અને ઇઝરાયેલના સૌથી નજીકના સાથી અમેરિકા પણ ચિંતામાં મૂકાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here