આમ આદમી પાર્ટી જ લોકોના દુ:ખમાં સહભાગી ઈન્દ્રનીલ રાજ્યગુરુ

 

રાજકોટ: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વરસાદના લીધે રાજકોટની કફોડી પરિસ્થિતિની મુલાકાત લીધી હતી. તેમને જોયું કે કેવી રીતે ભ્રષ્ટ ભાજપના રાજમાં રસ્તાઓ તળાવ બની ગયા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે, સામાન્ય જનતાને આવવા જવામાં તકલીફ ભોગવવી પડી રહી છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે. એક વરસાદ એ સામાન્ય જનતા ના જીવનમાં આવનારા અનેક દિવસો માટે હાલાકી ઉભી કરી દીધી છે. અને આ પરિસ્થિતિની જવાબદાર ફક્ત મહાભ્રષ્ટ ભાજપ જ છે.

પ્રિ-મોન્સુનના નામે ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી, તે આજે સાબિત થઈ રહ્યું છે. વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સ્થિતિ વણસી ગઈ હતી અને શહેરથી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. મહીકા ગામમાં પૂલ તૂટી જતા ગામની ચારોતરફ પાણી ભરાઈ ગયું અને ગામના લોકોને ગામ ની અંદર-બહાર જવાની તકલીફ પડે છે. રાજકોટમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું અને લોકોને આશ્ર્વાસન આપ્યું કે આમ આદમી પાર્ટી દરેક સમસ્યામાં તેમની સાથે જ છે. ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેડૂતો પરેશાન છે, લોકો કામ પર જઈ શકતા નથી, બાળકોની શાળાઓ બંધ છે, લોકોના ધંધા-રોજગાર મુશ્કેલીમાં છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડી રહી હતી તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. 

 ભાજપે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં અટવાયા છે. વિકાસ યાત્રા અને વિકાસ રથમાં ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ લોકોને પૂરથી બચાવવા માટે સરકાર પાસે ન તો પૈસા છે કે ન કોઈ વ્યવસ્થા. દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં લોકોને મોટાપાયે નુકસાન થયું છે, ભાજપે પોતાની રાજ્યની બેઠકમાં કરેલી ફાઈવ સ્ટાર વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને માત્ર ચૂંટણી અને સત્તાની ચિંતા છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને માફ કરવાની નથી. અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરો રાજ્ય ને આર્થિક રીતે મજબૂત કરે છે, પરંતુ વરસાદના કારણે આ તમામ મોટા શહેરોની કમર તૂટી ગઈ છે. મોટા રાજમાર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ તો આખા વાહનો ખાડાઓમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા સ્થળોએ તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here