આગામી 25 નવેમ્બરથી વારાણસીમાં ત્રિદિવસીય  ધર્મસંસદઃ 9 ડિસેમ્બરે સાધુ- સંતોની સભા

0
933
A Sadhu or a Hindu holy man holds his pet monkey as he walks inside a makeshift shelter, before heading for an annual trip to Sagar Island for the one-day festival of "Makar Sankranti", in Kolkata, India January 11, 2017. REUTERS/Rupak De Chowdhuri
REUTERS/Rupak De Chowdhuri

 

તાજેતરમાં  નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયેલા બે દિવસના  સાધુ- સંત સંમેલનમાં રામ- મંદિરના નિર્માણ અંગે વટહુકમ અથવા કાનૂન તેમજ કેન્દ્રમાં મોદી સરકારનું પુનરાગમનનો ધર્માદેશ મંજૂર કરવામાં આવ્યો હતો.

આગામી ધર્મસંસદ 25મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે.

રામ- મંદિરના નિર્માણના મામલે અયોધ્યા, નાગપુર અને બેન્ગલુરુમાં સાધુ- સંતોની સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં રામ- મંદિરને મામલે 9 ડિસેમ્બરે સાધુ- સંતોની સભા યોજાશે. તેમાં રામ- મંદિરના નિર્માણ સહિત સનાતનધર્મ સાથે સંબંધિત બાબતોની વિગતવાર ચર્ચા-  વિચારણા કરીને ધર્માદેશ જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here