અલ્હાબાદનું નામ બદલીને રખાશે – પ્રયાગરાજ – ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરી ઘોષણા

0
986

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કુંભ માર્ગદર્શક મંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી. યોગી આદિત્યનાથે કહયું હતું કે, ગંગા અને યમુના અને સરસ્વતી – ત્રણ પવિત્ર નદીઓનો આ સ્થળે સંગમ થાય છે એટલે એનો પ્રયાગરાજ કહેવું સર્વથા ઉચિત છે. અહીં તમામ પ્રયાગનું રાજ છે, એટલેજ અલ્હાબાદને પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહયું હતું કે, સંતો- સાધુજનોએ અલ્હાબાદનું નામ બદલવા માટે માગણી કરી હતી. હવે રાજ્યપાલે પણ એ માટે સંમતિ આપી દીધી છે.અલ્હાબાદનું નામ બદલવાના મામલે કેટલાક લોકો પ્રશ્ન કરી રહયા છેકે, નામ પરિવર્તન કરવા પાછળ શું ઉદે્શ છે, એમાં કેટલું ઔચિત્ય છે.. આ પ્રકારના સવાલો કરનારા લોકોને કદાચ આ સ્થળના ઈતિહાસ અને સંસ્કૃતિ અંગોે માહિતગાર નથી. તેઓ ભારતીય સંસ્કૃતિથી અંજાણ છે.

         યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આશરે 500 વરસ અગાઉ આ સ્થળનું નામ પ્રયાગરાજ હતું, તે બદલીને મોગલકાળમાં તેને અલ્હાબાદ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here