અમે હાર નહિ માનીએ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્ટોમીર ઝેલેન્સી 

 

યુક્રેનઃ અમે હાર નહિ માનીએ અને હારીશું પણ નહિ. અમે અંતિમ ઘડી સુધી લડીશું, સમુદ્ધમાં, હવામાં અમે 

અમારી જમીન માટે લડતા રહીશું. કોઈ પણ કિંમતે અમે જંગલોમાં, ખેતરોમાં, રસ્તાઓ પર લડીશું. જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ ૧૯૪૦માં બ્રિટિશ સેનાને નાઝી જર્મન હુમલાને કારણે ફ્રાન્સથી પાછળ હટવા માટે મજબૂર થવુ પડયું હતું ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે ઉપરોક્ત વાત નીચલી સંસદમાં કહી હતી. 

ચર્ચિલના આ ભાષણ પછી જે થયું તે આજે ઈતિહાસ છે અને દરેકને તેની જાણ છે. અત્યારે રશિયા અને યુકેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્ટોમીર ઝેલેન્કીએ ચર્ચિલની ઉપરોક્ત વાતોને યુનાઈટેડ કિંગ્ડમના હાઉસ ઓફ કોમન્સમાં ફરીથી કહી. તેમણે કહ્યું કે, અમે અંતિમ સમય સુધી લડીશું, હાર નહીં માનીએ. તેમના આ ઐતિહાસિક ભાષણ પછી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. બ્રિટિશ સંસદ રાષ્ટ્રપ્રમુખ કેલેન્કીને સ્ટેન્ડિગ ઓવેશન પણ આપ્યું. ઝેલેન્કી યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બ્રિટિશ સંસદમાં પોતાની સ્પીચ દમરિયાન ઝેલેન્જીએ ચર્ચિલના પ્રખ્યાત ભાષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમે પશ્ચિમી દેશોની સહાયતા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ. અમે આ મદદ માટે તમારા આભારી છીએ અને બોરિસ હું તમારો પણ આભાર વ્યક્ત કરૂ . મહેરબાની કરીને આ દેશ (રશિયા) વિરૂદ્ધ પ્રતિબંધોને વધારો અને તેને આતંકવાદી દેશ જાહેર કરો. સુનિશ્ચિત કરો કે અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે. 

આટલુ જ નહિ, ઝેલેન્જીએ દુનિયાભરમાં પ્રખ્યાત બ્રિટિશ લેખર શેક્સપિયરની અમુક વાતોને પણ પોતાના ભાષણમાં સામેલ કરી હતી. સેનાની ગ્રીન રંગની ટી-શર્ટ પહેરીને હાજર થયેલા ઝેલેન્જીએ કહ્યું કે, અમારા માટે અત્યારે એ છે કે ટુ બી ઓર નોટ ટુ બી. હોવું કે ન હોવું. તો હું તમને એક ચોક્કસ ઉત્તર આપી શકુ છું હા, અમે છીએ. તેમણે બ્રિટનને અપીલ કરી છે કે રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે જેથી યુક્રેન બચી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here