અમદાવાદ શહેરમાં એક દિવસમાં નવા ૪૮૨૧ કેસ અને ૨૨ દર્દીઓનાં મોત

 

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ૨૦૨૦ માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના મહામારી બાદથી અત્યાર સુધીમાં કુલ ૧,૧૧,૧૪૬ કેસ નોંધાયા છે. બુધવારે ૨૪ કલાકમાં શહેરમાં નવા ૪૮૨૧ કેસ નોંધાયા છે. બુધવારે ૨૨ લોકોનાં મોત થયા છે. સતત વધી રહેલા કોરોનાના નવા કેસની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે.

૨૦ એપ્રિલે એકિટવ કેસની સંખ્યા ૨૩,૯૯૫ હતી.જે ૨૧ એપ્રિલે વધીને ૨૭,૭૨૭ ઉપર પહોંચી ગઈ છે.સંક્રમણને લઈ કથળી રહેલી સ્થિતિને લઈ શહેરમાં લોકો પણ કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદમાં બુધવારે કોરોનાના નવા ૪૮૨૧ કેસ નોંધાતા શહેરમાં અત્યાર સુધીમાં કુલ-૧,૧૧,૧૪૬ કેસ નોંધાવા પામ્યા છે.

બુધવારે ૯૧૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૭૬૯૧૪ લોકો કોરોના મુકત થયા છે.૨૨ લોકોના મરણ સાથે અત્યાર સુધીમાં કુલ ૨૬૨૫ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે. મંગળવારે શહેરમાં કુલ ૪૬૩૧ કેસ નોંધાયા હતા.આમ બે દિવસમાં કુલ  ૯૪૫૨ નવા કેસ નોંધાયા છે.

ઉપરાંત ૪૮ કલાકમાં કુલ ૪૫ લોકોના મોત થયા છે. સતત વધી રહેલા કેસની સાથે ગત વર્ષે એપ્રિલ મહિનામાં સંક્રમણને લઈ જે પરિસ્થિતિ જોવા મળતી હતી એથી પણ વધુ ખરાબ પરિસ્થિતિ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે, ત્યારે અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવતા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. 

અમદાવાદ શહેરના સાબરમતી ફાયર સ્ટેશનસ્થિતદ જમાદાર તરીકે ફરજ બજાવતા પ્રકાશ બારોટના કુટુંબમાં કોરોના પોઝિટિવ પેશન્ટ હોઈ બુધવાર સવારથી ૧૦૪, ૧૦૮ ઉપર મદદ મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહ્યા આમ છતાં તેમને કોઈ પ્રકારની મદદ મળી શકી નહોતી. તેમના કહેવા પ્રમાણે, સાબરમતી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓ પૈકી પાંચ કર્મીઓ કોરોના સંક્રમિત છે. આ પરિસ્થિતિમાં તેમના સગાને દાખલ કરાવવા માટે ૧૦૪, ૧૦૮ની મદદ મેળવવા સવારથી રાતના નવ સુધી પ્રયાસ કરવા છતાં મદદ મળી શકી 

નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here