અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના પૂર્વ કોટ વિસ્તારમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે. સતત બીજા દિવસે બફરઝોન ગણાતા આ વિસ્તારમાં આરોગ્યની ટીમો ઉતારી દેવામાં આવી છે જેમાં તમામ હોટસ્પોટ વિસ્તારના ઘરના લોકોનું હેલ્થ ચેકઅપનો મેગા સર્વે હાથ ધરાયો છે. એએમસીના હેલ્થ વિભાગની ટીમો ઘરે ઘરે જઈને અહીંના સ્થાનિકોના આરોગ્યની તપાસ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સર્વેમાં મધ્ય ઝોનના છ વોર્ડમાં હેલ્થ વિભાગ તેમજ પીએચસીના બે હજારથી વધુ કર્મીઓ જોડાયા છે. અન્ય ઝોનની ટીમો પણ આ સર્વેમાં જોડાઈ છે. કુલ એક હજારથી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ૧૦૦-૨૦૦ કેસો સામે આવી તેવી ભીતિ સેવાઈ રહી છે. આગામી દિવસો અમદાવાદવાસીઓ માટે મહત્વના છે. સ્થાનિક સ્તરે સંક્રમણના કેસો સામે આવવાથી લોકોએ વધુ સાવચેત રહેવું પડશે.
લોકડાઉનનો કડક અમલ કરવામાં આવે અને લોકો ઘરમાં સુરક્ષિત રહે તે જ ઈચ્છનીય છે. લઘુમતિ વિસ્તારોમાં હજુ કેટલાક લોકો કામગીરીનો વિરોધ નોંધાવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમોની સમજાવટ છતા પણ કામગીરીમાં સહકાર આપી નથી રહ્યા. શહેરના કોટ વિસ્તારમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. બુધવારથી જ નહેરુબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એલિસબ્રિજનો એક બાજુનો ભાગ બંધ કરી દેવાયો છે અને ખમાસાથી વીએસ તરફનો એક જ ભાગ વાહન વ્યવહાર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.
છે.કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે શહેરના દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા સહિતના મહત્વના દરવાજા પર હેલ્થના સ્ટાફ સાથે પોલીસની ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં કોઈ વ્યક્તિ બહાર ફરતી જણાય છે તો તેનું હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે તેમજ થર્મલ સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.
આગામી ત્રણ-ચાર દિવસમાં અમદાવાદમાં હોટ સ્પોટ વિસ્તારોમાં વધુ કેસો બહાર આવે તેવી ભીતિ રહેલી છે