અંતરિક્ષમાં ભારતનું મહાશક્તિ અભિયાનઃ અંતરિક્ષમાં પણ યુધ્ધક્ષમતા હાંસલ કરતું ભારત- અતંરિક્ષમાં 300 કિ્. મિ.ના અંતરે સેટેલાઈટને તોડી પાડવામાં આવી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન કરીને બિરદાવી વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ સિધ્ધિને…

0
848
Reuters

મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકોને મોદીએ અભિનંદન આપ્યા…અમેરિકા, ચીન અને રશિયા બાદ ભારત આ સિધ્ધિ મેળવનારું વિશ્વનું ચોથું રાષ્ટ્ર બન્યું …

આજે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતે અંતરિક્ષમાં મહત્વની સિધ્ધિ પ્રાપ્ત કરીને લો અર્થ ઓરબિટમાં એક સેટેલાઈટનો ખાત્મો કરી દીધો હતો. આ મિશનને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આપણી પાસે હવે અતરિક્ષમાં પણ યુધ્ધનો મુકાબલો કરવાની ક્ષમતા છે. આ મિશનનું એપરેશન માત્ર 3 મિનિટ જ ચાલ્યું હતું. મિશન શક્તિ નામનું આ અંતરિક્ષ કાર્ય  અતિ મુશ્કેલ હતું. જેમાં અતિ ઉચ્ચ પ્રકારનાી ટેકનિકલ ક્ષમતાની આવશ્યકતા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશ માટે આજે ગૌરવનો દિવસ છે.આ ઐતિહાસિક સિધ્ધિ ભારતે ભારતમાં જ તૈયાર કરાયેલી એ- સેટ મિસાઈલ દ્વારા હાંસલ કરી હતી.હું આ મિશન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. આજે આપણા અંતિરક્ષ- વૈજ્ઞાનિકોએ આપણું માન વધાર્યું છે. આપણા સેટેલાઈટનો ફાયદો સહુને મળે છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ અને મહત્વ વધવાના છે. એવા સંજોગોમાં એની સુરક્ષા પણ અતિ જરૂરી છે.

   એ- સેટ મિસાઈલ એક એવી એન્ટી સેટેલાઈટ સિસ્ટમ છેકે જે ખાસ કરીને મિલિટરીની (સૈન્યની) ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જે શત્રુ દેશના સેટેલાઈટનો નાશ કરે છે. અમેરિકાએ 1950માં આ હથિયારને વિકસિત કર્યું હતુું. રશિયાએ 1960માં તેને વિકસિત કર્યું હતું.

  એલઈઓ- લો અર્ત ઓરબિટ- પૃથ્વીની સૌથી નિકટની ભ્રમણ કક્ષા છે. એ ધરતીથી માત્ર 2000 કિલોમિટર ઉપર હોય છે. એ કક્ષામાં જો સેટેલાઈટસને ગોઠવવામાં આવે છે તેનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here