અમદાવાદઃ અમદાવાદસ્થિત વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. સમીર દાણી દ્વારા શહેરમાં ૧૨મો આંતરરાષ્ટ્રીય NEW 2020 પરિસંવાદ યોજાયો હતો. જેમાં ભારતનાં અનેક અગ્રણી કાર્ડિયોલોજીસ્ટ, વાસ્ક્યુલર સર્જન અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ જોડાયા હતાં. જેમાં આ અંગેનાં ગંભીર કેસો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ડો. સમીર દાણી છેલ્લાં ૧૨ વર્ષથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે (નેશનલ એન્ડોવાસ્ક્યુલર વર્કશોપ (NEW)નું આયોજન સફળતાપૂર્વક કરે છે. આ પરિસંવાદમાં ભારત સહિત વિશ્વનાં અનેક તબીબો જાડાય છે.
આ વર્ષે બીજી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી ચાલેલા વર્ચ્યુઅલ વર્કશોપમાં ભારતનાં અનેક તબીબો સાથે મોરોક્કોનાં તબીબે પણ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં ૫૩ જેટલા હૃદય સિવાયનાં બ્લોકેજને લગતાં કેસોનો ઝીણવટપૂર્વક અભ્યાસ અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ પરિસંવાદનો મુખ્ય હેતુ હૃદય સિવાયનાં બ્લોકેજ અંગે કાર્યરત તબીબોનાં અનુભવ અને જ્ઞાનને એકબીજા સાથે યોગદાન થાય એ રહ્યો છે.NEW 2020માં ભારતનાં નામાંકિત તબીબો ડો. વરીન્દર બેદી, ડો. અજય યાદવ, ડો. દેવેન્દર ચઢ્ઢા, ડો. જ્યોર્જ જોસેફ, ડો. આર. શેખર, ડો. ગીરીશ વરવડેકર સહિત અનેક અગ્રણી તબીબો જોડાયા હતાં. આ પરિસંવાદનું સફળ સંચાલન મેડિકલ ઇવેન્ટ કન્સલ્ટન્ટ સંજીવ ધવને કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડો. સમીર દાણી અમદાવાદમાં એપોલો CVHF સાથે સંકળાયેલા વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે.