શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન દ્રારા ‘નારી તારાં નવ નવ રૂપ’નું પ્રકાશન અને લોકાર્પણ

 

અમદાવાદઃ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન (SGVP) છારોડી, અમદાવાદ દ્રારા નારીસન્માનના પુસ્તક ‘નારી તારાં નવ નવ રૂપ’નું પ્રકાશન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ૮૮ પાનાનાં પુસ્તકમાં સમાજમાં તેમજ પરિવારમાં મહિલાના સમર્પણને સમજાવી એના અમૂલ્ય પ્રદાનને ઊજાગર કરતાં ચોત્રીસ હદયસ્પર્શી પ્રેરક પ્રસંગોનું સંપાદન છે. જે સ્ત્રીના મહત્ત્વને સમજવા માટે દીવાદાંડીરૂપ બનશે.

આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ – મેમનગર, – SGVP- છારોડી – અમદાવાદ, સાવ નજીવી કિંમત માત્ર ૨૫ રૂપિયામાં મળશે.