વોટબેંક માટે નહિ, નવું ભારત બનાવવા કામ કરીઍ છીઍઃ પ્રધાનમંત્રી

 

હિમાચલ પ્રદેશઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ હિમાચલ પ્રદેશના શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો. પ્રધાનમંત્રી મોદીઍ કિસાન સન્માન નિધિનો ૧૧મો હપ્તો પણ રિલીઝ કર્યો. લાભાર્થીને કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે હમણા દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પીઍમ કિસાન સન્માન નિધિના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. શિમલાની ધરતીથી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચાડવાનું સૌભાગ્ય મળ્યું છે. 

સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે આજે તેમના જીવનનો ઍક વિશેષ દિવસ છે અને આ દિવસે તેમને દેવભૂમિને પ્રણામ કરવાની તક મળે તેનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. તેમણે કહ્નાં કે કોરોનાકાળમાં જે બાળકોઍ પોતાના માતા પિતા ગુમાવ્યા તેવા બાળકોની જવાબદારી સંભાળવાની મને તક મળી છે. આવા હજારો બાળકોની દેખભાળનો નિર્ણય અમારી સરકારે લીધો. પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે ૧૩૦ કરોડ ભારતીયોના સેવક તરીકે કામ કરવાની તમે મને તક આપી, મને સૌભાગ્ય મળ્યું. આજે હું કઈ કરી શકું છું, દિવસ રાત દોડુ છું તો તે ન વિચારો કે આ મોદી કરે છે પણ ઍમ વિચાર ન કરો કે મોદી દોડે છે. આ બધુ તો દેશવાસીઓની કૃપાથી થાય છે. ઍક પરિવારના સભ્યના નાતે, પરિવારની આશા-આકાંક્ષાઓ સાથે જોડાવવું, ૧૩૦ કરોડ દશવાસીઓના પરિવાર ઍ બધુ જ મારા જીવનમાં છે. મારા જીવનમાં તમે બધા જ છો અને આ જિંદગી તમારા માટે જ છે. 

પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે ૨૦૧૪ પહેલાની સરકારે ભ્રષ્ટાચારને સિસ્ટમનો જરૂરી ભાગ માની લીધો હતો. ત્યારની સરકાર ભ્રષ્ટાચાર સામે લડવાની જગ્યાઍ તેની આગળ ઘૂંટણિયા ટેકી ચૂકી હતી. ત્યારે દેશ જોઈ રહ્ના હતો કે યોજનાઓના પૈસા જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે તે પહેલા જ લૂંટાઈ જાય છે. પરંતુ આજે ધન ધન ખાતા દ્વારા મળતા ફાયદાઓ અંગે ચર્ચા થાય છે. જન ધન-આધાર અને મોબાઈલથી બનેલી ત્રિશક્તિની ચર્ચા થાય છે. પહેલા રસોડામાં ધૂમાડો સહન કરવાની મજબૂરી હતી, પરંતુ આજે ઉજ્જવલા યોજનાથી સિલિન્ડર મેળવવાની સગવડ છે. 

ભ્રષ્ટાચાર પર વધુ બોલતા પ્રધાનમંત્રઍ કહ્નાં કે પીઍમ આવાસ યોજના હોય, સ્કોલરશીપ આપવાની હોય કે પેન્શન યોજનાઓ હોય, ટેક્નોલોજીની મદદથી અમે ભ્રષ્ટાચારના સ્કોપને ઓછામાં ઓછો કરી દીધો છે. જે સમસ્યાઓને પહેલા પરમેનન્ટ ગણી લેવામાં આવી હતી તેના પરમેનન્ટ સોલ્યુશન આપવા માટેના અમે પ્રયત્નો કરીઍ છીઍ. આપણા દેશમાં દાયકાઓ સુધી વોટબેંકની રાજનીતિ થઈ છે. પોત પોતાની વોટબેંક બનાવવાના રાજકારણે દેશને ખુબ નુકસાન કર્યું છે. અમે વોટબેંક બનાવવા માટે નહિ પરંતુ નવું ભારત બનાવવા માટે કામ કરી રહ્ના છીઍ. ૨૧મી સદીના બુલંદ ભારત માટે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાનું છે. ઍક ઍવું ભારત જેની ઓળખ અભાવ નહિ, પરંતુ આધુનિકતા હોય. ભારતવાસીઓના સામર્થ્ય આગળ કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંથી ઍક છે. ભારતમાં રેકોર્ડ વિદેશી રોકાણ થઈ રહ્નાં છે. ભારત રેકોર્ડ નિકાસ કરી રહ્નાં છે.