વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા મહાનુભાવોનું સન્માન

0
616

નવેમ્બર, 2017માં વાવાઝોડાનો ભોગ બનેલા અસરગ્રસ્તો માટે ભંડોળ ઊભું કરનારા કેટલાક મહાનુભાવોને સન્માનિત કરવા સન્માન સમારંભનું આયોજન ન્યુ જર્સીના એડિસનમાં ડો. બિનોદ સિંહાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું. તસવીરમાં (ડાબેથી જમણે) ઇવેન્ટ પ્લાનર નીતિન વ્યાસ, પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ડો. કિશોર રતકલકર, આપીના પ્રમુખ ડો. ગૌતમ સમાદર, ડો. અમિત ચક્રવર્તી, ડો. બિનોદ સિંહા નજરે પડે છે. (જમણે) તસવીરમાં ડો. કિશોર રતકલકર, ડો. મુકારામ ગાઝી, નીતિન વ્યાસ, ડો. બિનોદ સિંહા, આપી પ્રેસિડન્ટ ડો. ગૌતમ સમાદર, ડો. કુસુમ પંજાબી, ડો. અમિત ચક્રવર્તી, ભૂતપૂર્વ આપી પ્રમુખ ડો. હેમંત પટેલ, ડો. વિનોદ સાંચાતી.