રાફેલ કેશમાં ચોકીદાર ચોર હૈ કહેવા બદલ સુપ્રીમ કોર્ટના આદેશથી રાહુલ ગાંધીએ બિનશરતી માફી માગી….

0
653
REUTERS

 

REUTERS

ચોકીદાર ચોર હૈ નિવેદન આપીને ચર્ચા જગાડનારા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માનહાનિ કરવાના આરોપસર સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાંઆવી હતી.આ કેસની સુનાવણી આગામી 10મે, શુક્રવારના કરવામાં આવનાર હતી. પરંતુ એની અગાઉ જ રાહુલ ગાંઘીએ સુપ્રીમ કોર્ટમાં 3 પાનાની નવી એફિડેવિટ રજૂ કરીને પોતાના નિવેદન અંગે બિન શરતી માફી માગી લીધી હતી. આ અગાઉ તેમણે પોતાના નિવેદન બાબત માત્ર ખેદ વ્યક્ત કર્યો હતો. પરંત સુપ્રીમં કોર્ટે આકરું વલણ અપનાવતા રાહુલને માફી માગવી પડી હતી.