યુએનમાં કાશ્મીરનો રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ

 

યુએનઃ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં હાજરી આપવા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અહીં અમેરિકાની પ્રજા અને વૈશ્વિક નેતાઓ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આતંકવાદીઓની યજમાની બદલ પાકિસ્તાન પર ચારેકોરથી ફીટકાર વરસાવવામાં આવી રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મંચ પર ભારત સામે આંગળી ચીંધવાનો પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને એક નીમ્નકક્ષાનો પ્રયાસ કર્યો હતો, જે ઊંધો પડ્યો હતો. ભારતની ફર્સ્ટ સેક્રેટરીએ એવો જડબાતોડ જવાબ આપ્યો હતો કે કાશ્મીર માંગનારા પાકિસ્તાનની હાલત કોઈને મોંઢું બતાવવા લાયક રહી નહોતી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચનો ઉપયોગ ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવામાં કર્યો હતો પણ તેનો આ દાવ ઉંધો પડી ગયો હતો. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનને ભારતે રાઇટ ટૂ રિપ્લાય હેઠળ જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મંચનો પાકિસ્તાને હંમેશા ખોટો ઉપયોગ કર્યો છે. ઓસામા બિન લાદેનનું નામ લઇને ભારતે વિશ્વ સામે પાકિસ્તાનની પોલ ખોલી નાખી હતી કે કેવી રીતે આતંકનો આકા આતંકવાદનું સમર્થન કરતો રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને વર્ચુઅલી સંબોધિત કર્યુ હતુ અને કાશ્મીરનો ઉલ્લેખ કરીને કહ્યું કે પાક શાંતિ ઇચ્છે છે અને કાશ્મીર વિવાદનું સમાધાનથી જ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત થશે.

રાઇટ ટૂ રિપ્લાય હેઠળ ભારત તરફથી ઇમરાન ખાનના ભાષણ પર જવાબ આપતા ભારતના ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ કહ્યું કે અફસોસની વાત આ છે કે આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાનના નેતા મારા દેશ વિરુદ્ધ ખોટા અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા મંચનો દુરુપયોગ કર્યો છે. તે વિશ્વનું ધ્યાન પોતાના દેશની તે સ્થિતિથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યા આતંકવાદી ફ્રી પાસનો આનંદ ઉઠાવે છે. જ્યારે સામાન્ય લોકો, વિશેષ રીતે લઘુમતી સમુદાયના લોકોનું જીવન ત્યા ઉંધુ થઇ જાય છે, તેમના ઉપર અત્યાચાર થાય છે