મોદી કેબિનેટનો મોટો નિર્ણય ઃ ૧ એપ્રિલથી, ૪૫ વર્ષથી વધુ ઉંમરના દરેકને મળશે કોરોના વેક્સિન

 

નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. ૧ એપ્રિલથી દેશમાં રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે. ૧ એપ્રિલથી, ૪૫ વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી આપવામાં આવશે. લોકોએ ફક્ત તેમની નોંધણી કરાવી લેવાની છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે લોકોએ ફક્ત પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને સરકારી-ખાનગી કેન્દ્રોમાં સરળતાથી રસી મેળવી શકશે. ભારત સરકારે કોરોના રસીકરણ અંગે મોટો નિર્ણય લીધો છે. દેશમાં પહેલી એપ્રિલથી રસીકરણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે ૪૫ વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોના રસી મળી શકશે.

દિલ્હીમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારને પણ એલર્ટ થઈ ગઈ છે. પાછલા દિવસોમાં, અહીં ૮૧૩ નવા કેસ નોંધાયા છે. રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસો અંગે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, દિલ્હીમાં દરરોજ આશરે ૮૦ હજાર પરીક્ષણો કરવામાં આવે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પાંચ ગણા વધારે છે. અમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. જે રીતે ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, લોકોને આઇસોલેટ કરી રહ્યા છે, એવું લાગે છે કે ટૂંક સમયમાં કોરોના નિયંત્રણમાં આવશે