મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીની  મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીને અદાલતે દિલ્હી બેન્કના રૌઝીવાડા કેસમાં 14 દિવસની લિગલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. રતુલ પુરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ઇડી) દ્વારા દિલ્હીથી   ધરપકડ કરવામાં આવી હતી. એ ધરપકડ કરી….

0
718

 મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીને અદાલતે દિલ્હી બેન્કના રૌઝીવાડા કેસમાં 14 દિવસની લિગલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. રતુલ પુરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ( ઇડી) દ્વારા દિલ્હીથી   ધરપકડ કરવામાં આવી હતી. 

     રતુલ પુરી મોઝર બેર કંપનીના ભૂતપૂર્વ ડિરેકટર હતા. રતુલ પુરી વિરુધ્ધ મોઝર બેર કંપનીના 354 કરોડ રૂપિયાની ઉચાાપત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતાી. રતુલ પુરીએ કંપનીના ડિરેકટરપદેથી 2012માં રાજીનામું આપી દીધું હતું. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પરથી સાીબીઆઈએ રતુલ પુરી અને અન્ય 4 સામે કેસ નોંધ્યો હતો. આ કેસમાં ઈડીએ રતુલ પુરીના સમન્સની બજવણી કરી હતી. રતુલ પુરીના માતા-પિતા નીતા પુરી અને દીપક પુરી હજી પણ કંપનીના ડિરેકટર બોર્ડમાં છે. શંકાસ્પદ લાગતા તમામ લોકોના મહત્વના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.