મખાના ખાઓઃ તંદુરસ્ત રહો…

0
6062

આયુર્વેદિક સારવારના નિષ્ણાતના જણાવ્યા અનુસાર, મખાના ખાવાથી તુરન્ત તાકાત મળે છે. મખાનાનું સેવન કિડની અને હૃદયને સારું રાખે છે. મખાના  નિયમિત ખાવાથી વ્યક્તિનો માનસિક તનાવ ઓછો થાયછે. મખાના ખાનારને રાત્રે ઊંઘ સારી આવે છે. રાતના દૂધની સાથે મખાના ખાવાથી અનિદ્રાની સમસ્યા દૂર થા૟ છે. મખાનામાં એન્ટી ઓકસીડન્ટ છે, જે વ્યક્તિને દીર્ઘ સમય સુધી યુવાન રાખે છે. મખાના એક એન્ટી એજિંગ ખોરાક ગણીને પણ એનું સેવન કરવું લાભદાયક છે.મખાનામાં 12 ટકા પ્રોટીન  રહેલું છે, જે તમારું શરીર સુદ્રઢ બનાવવામાં સહાયરૂપ થાય છે.